સુપ્રીમ કોર્ટે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ઐતિહાસિક નિર્ણયને લઇને 14 અરજીઓ પર સુનાવણી હાથ ધરી છે. જો કે કેટલીક અરજી કાશ્મીરમાં લગાવામાં આવેલા પ્રતિબંધો હટાવવાને લઇને હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને નોટીસ પાઠવી છે. આ સાથે જમ્મૂ-કાશ્મીરમાંથી હટાવાયેલી કલમ 370 મુદ્દે 5 જજની ખંડપીઠ ઓક્ટોબરમાં સુનાવણી હાથ ધરશે.
સુપ્રીમ કોર્ટમાં 14 અરજીઓ પર સુનાવણી કરાઇ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ ફટકારી
ઓક્ટોબરમાં કલમ 370 પર સુનાવણી કરશે ખંડપીઠ
કેન્દ્રીય કેબિનેટ કરી શકે છે સ્પેશ્યિલ પેકેજની જાહેરાત
જમ્મૂ-કશ્મીરમાંથી કલમ 370 હટાવી લેવા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી છે. આ સાથે જ આ સમગ્ર મામલાની સુનાવણી 5 જજની બંધારણીય બેંચને સોંપવામાં આવી છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં આ મામલે હવે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ મામલે 5 જજની બંધારણીય બેંચ તેની સુનાવણી કરશે.
જમ્મૂ-કશ્મીરમાંથી કલમ 370 હટાવી લીધા બાદ મીડિયા કવરેજ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જે મામલે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. જેને લઇને એક સપ્તાહમાં જવાબ આપવા માટે આદેશ કર્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટના રોજ જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય લેવામાં આવ્યાં બાદથી આ અંગે ચર્ચા દેશભરમાં ચાલી રહી છે. જો કે તેમાં કેટલાક લોકો કેન્દ્ર સરકારના આ નિર્ણયની ટીકા કરી રહ્યાં છે.
જેને લઇને કલમ 370 હટાવવાના નિર્ણય વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ઘરવામાં આવી. અત્યાર સુધીમાં ઘણાબધા ગ્રુપ, વ્યક્તિઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેને લઇને આજે કુલ 14 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ.
સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાઓમાં મહોમ્મદ અકબર લોન, જસ્ટિસ (રીટાયર્ટ) હસન મસૂદી, શાહ ફેઝલ, સીતારામ યેચુરી દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. જો કે આ બધાના મુદ્દાઓ અલગ-અલગ છે. કેટલી અરજી 370 હટાવવાના વિરુદ્ધ છે.
તો કેટલીક અરજી તેના પૂનર્ગઠન વિરુધ્ધ તો કેટલીક ઘાટીમાં લગાવામાં આવેલા પ્રતિબંધો વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. આ અરજીઓની સુનાવણી ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી ખંડપીઠમાં કરવામાં આવી.
મોદી સરકાર કરી શકે સ્પેશ્યિલ પેકેજની જાહેરાત
એક તરફ સુપ્રીમ કોર્ટમાં જમ્મૂ-કાશ્મીરને લઇને સુપ્રીમમાં મોટો દિવસ છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક આજરોજ યોજાશે. જેમાં જમ્મૂ-કાશ્મીર પર મોટી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોને મળતી માહિતી મુજબ જમ્મૂ-કાશ્મીરની નવી નીતિ, યોજનાઓ લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર સ્પેશિયલ પેકેજની જાહેરાત કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે નવી વ્યવસ્થા બાદ 31 ઓક્ટોબરના રોજ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બની જશે. રાજ્યમાં 31 ઓક્ટોબરથી 2019તી 106 કેન્દ્રીય કાયદો સંપૂર્ણ રીતે લાગુ થઇ જશે.
કાશ્મીરના વધુ 10 થાણા ક્ષેત્રમાં આજે મુક્તિ અપાશે
કાશ્મીરમાં આજે 10 વધુ થાણા ક્ષેત્રમાં પ્રતિબંધમાં મુક્તિ આપવામાં આવશે. આ દરમિયાન સ્કૂલ-કોલેજ ખોલવામાં આવશે. જ્યારે અન્ય વસ્તુ સામગ્રી લેવા માટે દુકાનો ખોલવા માટે મંજૂરી અપાશે. જ્યારે બીજી તરફ ઘાટીમાં ટેલીફોન સેવા સંપૂર્ણ રીતે ચાલુ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
Supreme Court also issued a notice to the Centre on the plea by Kashmir Times Executive Editor, Anuradha Bhasin, seeking a direction for relaxing restrictions on the internet, landline, & other communication channels. SC sought a detailed response from the Centre within 7 days. https://t.co/QnWhasbDpf