શિવસેના, કોંગ્રેસ અને NCPના 154 ધારાસભ્યોના સમર્થનનો કર્યો દાવો
ત્રણેય પાર્ટીઓએ પોતાની અરજીમાં આજે ફ્લોર ટેસ્ટની કરી માંગ
NCPમાં સામેલ થઈ રહ્યા છે BJP સાંસદઃ જિતેન્દ્ર
એનસીપી નેતા જિતેનદ્ર આવ્હાડે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું છે કે રાજ્યસભા સાંસદ સંજય કાકડે એનસીપીમાં સામેલ થઈ રહ્યા છે. થોડી વાર પહેલાં જ તેઓએ શરદ પવાર સાથે પણ પર્સનલ મીટિંગ કરી હતી.
મહારાષ્ટ્રના રાજ્યપાલે રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી છે. રાજ્યપાલોની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પણ દિલ્હી પહોંચી ચૂક્યા છે.
ભાજપના સાંસદ મળ્યા શરદ પવારને
સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલાં જ મુંબઈમાં રાજકીય ગતિવિધિનો દૌર વધી રહ્યો છે. મહારાષ્ટ્રના રાજકીય ખેંચતાણ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. હાલમાં ભાજપના સાંસદ સંજય કાકડે શરદ પવારને મળવા પહોંચી ચૂક્યા છે. સંજય કાકડેની પવાર સાથેની મુલાકાતને લઈને અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. સંજય કાકડે સિવાય એનસીપીના નેતા જયંત પાટિલ પણ શરદ પવારના ઘરે પહોંચી ચૂક્યા છે.
મહારાષ્ટ્રમાં નવી સરકારનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં શિવસેના- કોંગ્રેસ અને એનસીપીએ અરજી દાખલ કરીને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આદેશને રદ કરવાની માંગ કરી છે. જેમાં તેઓએ સરકાર બનાવવા માટે દેવેન્દ્ર ફડણવીસને પણ આમંત્રિત કર્યા હતા. સુપ્રીમ કોર્ટે ત્રણેય પાર્ટીની અરજી પર સુનાવણી માટે તૈયારી બતાવી હતી. આજે આ કેસમાં જસ્ટિસ એનવી રમના, અશોક ભૂષણ અને સંજીવ ખન્નાની બેંચ સુનાવણી કરશે. આ સુનાવણી સુપ્રીમ કોર્ટની કોર્ટ નંબર 2માં સવારે 11.30 મિનિટે શરૂ થશે.
SC to hear plea challenging govt formation in Maharashtra on Sunday
શિવસેના, કોંગ્રેસ અને NCPએ સુપ્રીમ કોર્ટમાં અરજીની સાથે 288 સભ્યની વિધાનસભામાં 154 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. અરજી કરતાઓએ સુપ્રીમ કોર્ટને બની શકે તેટલું વહેલું સંભવ થયા તો રવિવારે જ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને ફ્લોર ટેસ્ટ કરાવવાના આદેશ આપવાની અપીલ કરી છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે 11:30 વાગે સુનાવણી થઇ શકે છે. ત્રણેય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેમાં ફડણવીસ સરકારને ભંગ કરવાની માંગ કરાઇ છે. આ સાથે તેની વીડિયો ગ્રાફી કરાવવાની અને ફ્લોર ટેસ્ટ ડિવિઝન ઓફ વોટની મદદથી નહીં પણ ધ્વનિમતથી કરાવવાની માંગ કરી છે. પાર્ટીઓએ અપીલ કરી છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રોટેમ સ્પીકરની નિમણૂંક કરવામાં આવે અને તરત જ ફ્લોર ટેસ્ટ કરવામાં આવે.
દિલ્હીથી બહાર છે ચીફ જસ્ટિસ બોબડે
ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે પણ દિલ્હીથી બહાર છે. તેઓ તિરુપતિ દર્શનાર્થે ગયા છે. આ સિવાય વકીલ અરજી દાખવલ કરીને સીધા ચીફ જસ્ટિસ બોબડેના ઘરે જઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટમાં રજિસ્ટ્રારની મદદથી અરજી નોંધાવવામાં આવી છે.