જો દર્દીનું મોત કોરોનાને કારણે થયું હોય તો શા માટે ફેફસા અને હ્રદયની બીમારી લખવામાં આવી રહ્યું છે?
ડેથ સર્ટિફિકેટ પર શા માટે કોરોનાથી મોત થયું એવું નથી લખવામાં આવી રહ્યું?
સુપ્રીમ કોર્ટેમાં એક આવેદન આપવામાં આવ્યું છે
જજ જસ્ટિસ એમઆર શાહે પોતે જ જોયું ડેથ સર્ટિફિકેટ
ડેથ સર્ટિફિકેટ પર શા માટે કોરોનાથી મોત થયું એવું નથી લખવામાં આવી રહ્યું?
સુપ્રીમ કોર્ટે સોમવારે સુનવણી દરમ્યાન કેન્દ્ર સરકારન પૂછ્યું હતું કે જે લોકોના કોરોના સંક્રમણના લીધે મોત થઈ રહ્યા છે તેમના ડેથ સર્ટિફિકેટ પર શા માટે કોરોનાથી મોત થયું એવું નથી લખવામાં આવી રહ્યું? સાથે જ કોરોનાથી મૃત પામનાર વ્યક્તિ માટે જો સરકાર કોઈ યોજના લાવવાની હોય તો પછી તેવા લોકોના પરિવારેને તે યોજનાનો લાભ કઈ રીતે મળશે? હવે આગળની સુનવણી 11 જૂનના દિવસે થશે.
સુપ્રીમ કોર્ટેમાં એક આવેદન આપવામાં આવ્યું છે
મૂળ વાત એમ છે કે સુપ્રીમ કોર્ટેમાં એક આવેદન આપવામાં આવ્યું છે કે જે લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી રહ્યા છે તેવા લોકોના પરિવારને 4 લાખ રૂપિયા આર્થિક સહાય રૂપે આપવામાં આવે. 2015માં કેન્દ્ર સરકાર દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી હતી, આ યોજનામાં કોઈ વ્યક્તિની આપત્તિજનક બીમારીથી મોત થઈ રહી છે તો તેમના પરિવારને 4 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. પણ આ યોજના ગયા વર્ષે જ પૂરી થઈ ગઈ હતી.
જજ જસ્ટિસ એમઆર શાહે પોતે જ જોયું ડેથ સર્ટિફિકેટ
એક આવેદકે સુપ્રિમકોર્ટ પાસે માંગણી કરી છે કે સરકાર આ યોજનાને વધુ વર્ષ માટે લંબાવવામાં આવે અને તેમઆ કોરોના બીમારીને પણ ઉમેરવામાં આવે. કોરોના એક આપત્તિજનક બીમારી કહેવાય જે સરકારે જ ઘોષિત કર્યું છે. જો આ યોજનાને 2020થી આગળ વધારવામાં આવે તો હજારો પરિવારોને ફાયદો થશે જેમાં ઘરમાં જ કમાનાર વ્યક્તિનું જ મૃત્યુ થઈ ગયું હોય. પણ આમાં સૌથી મોટો સવાલ એ છે કે એવું કઈ રીતે સાબિત થાય કે તે વ્યક્તિનું મોત કોરોનાને લીધે જ થયું છે? સુનવણી કરનાર જજ જસ્ટિસ એમઆર શાહે કહ્યું કે તેમણે પોતે જ જોયું છે કે કોરોનાથી મૃત પામનાર વ્યક્તિના ડેથ સર્ટિફિકેટ પર મરવાનું કારણ બીજી કઇંક લખવામાં આવે છે. જેમ કે ફેફસા ને કારણે કે હ્રદયના લીધે. પણ ખરેખર મોત તો કોરોનાને લીધે થયું છે.
જસ્ટિસ એમઆર શાહે કહ્યું કે ભવિષ્યમાં જો સરકાર કોરોનાથી મૃત પામેલા વ્યક્તિઓ માટે કોઈ યોજના બહાર પાડવાની હોય તો એ કઈ રીતે સાબિત થશે કે આ વ્યક્તિનું કોરોનાને લીધે મોત થયું છે? તેમના પરિવાર વાળા એ સાબિત કરવા માટે ક્યાં જશે? સરકારી વકીલે આ સવાલના જવાબમાં કહ્યું કે ડેથ સર્ટિફિકેટ પર એજ લખવામાં આવે છે જે ICMRની ગાઈડલાઇન છે કારણકે કોરોનાને લઈ હજી આવો કોઈ નિયમ આવ્યો નથી.