સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એવું જણાવ્યું કે ગુજરાતમાં હોસ્પિટલો શા માટે ફક્ત 108 ના દર્દીઓને દાખલ કરી હતી, આ મુદ્દે કઈ પોલીસી નક્કી કરાઈ છે.
કોવિડ-19 ની વિવિધ અરજીઓની સુપ્રીમમાં સુનાવણી ચાલી
સુપ્રીમે કેન્દ્ર સરકારને સવાલનો ઝડી વરસાવી
વેક્સિનની અલગ અલગ કિંમતોના મુદ્દે પણ સરકારને બરોબરની ઝાટકી
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાલ કોરોનાનો નવો વેરિયેન્ટ RT-PCR ટેસ્ટમાં પકડાઈ રહ્યો નથી. મેડિકલ સેન્ટર્સ દર્દીઓને પોઝિટિવ રિપોર્ટ વગર પાછા ધકેલે છે અથવા તો પછી ચાર્જ વધુ લે છે. અમદાવાદમાં તો 108માં ન આવ્યા હોય તેવા દર્દીઓને દાખલ પણ કરાતા નથી તો આવા સંજોગોમાં કઈ પોલિસી હાલ લાગુ કરાઈ છે?
વેક્સિનની અલગ અલગ કિંમતોના મુદ્દે સરકારની આકરી ઝાટકણી
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, એલએન રાવ અને એસઆર ભટ્ટની આગેવાની વાળી ખંડપીઠે શુક્રવારે વેક્સિનની અલગ અલગ કિંમતોના મુદ્દે સરકારની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર, રાજ્યો અને હોસ્પિટલો માટે વેક્સિનની અલગ અલગ કિંમત ખૂબ જ ડિસ્ટર્બિંગ છે. ખંડપીઠે પૂછ્યું કે કેન્દ્ર, રાજ્યો અને હોસ્પિટલો માટે વેક્સિનની અલગ અલગ કિંમત શા માટે છે તેનો સરકાર જવાબ આપે.
સરકારે તમામ વેક્સિનની ખરીદી કરવી જોઈએ
સુપ્રીમની ખંડપીઠે પૂછ્યું કે શા માટે સરકાર તમામ વેક્સિનની ખરીદી કરતી નથી અને નેશનલ ઈમ્યુનાઈઝેશ પ્રોગ્રામની સાથે જ વેક્સિનેશન નથી કરતી ? સરકારે તમામ નાગરિકોને ફ્રી વેક્સિન આપવાનું પણ વિચારવું જોઈએ. કોર્ટે કહ્યું કે કયા રાજ્યને કેટલા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો મળશે તે પ્રાઈવેટ મેન્યુફેક્ચર્સને નક્કી ન કરવા દેવાય. ખંડપીઠે કહ્યું કે સરકાર અભણ અને જેમની પાસે ઈન્ટરનેટની સુવિધા નથી તેવા લોકો માટે કેવી રીતે વેક્સિન રજિસ્ટ્રેશ કરશે.
કોર્ટે કહ્યું કે શું કેન્દ્ર અને રાજ્ય સરકારોની પાસે આની કોઈ યોજના છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વેક્સિનેશન મોડલ અપનાવવું જોઈએ કારણ કે ગરીબ પાસે વેક્સિનના પૈસા નથી. અમે એ વાત સાથે સહમત છીએ કે છેલ્લા 70 વર્ષ દરમિયાન વારસામાં આપણને જે પણ મેડિકલ, હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું છે તે પૂરતું નથી. સુપ્રીમે કહ્યું કે શું એક રાજ્યને વેક્સિન મેળવી લેવામાં બીજા રાજ્ય કરતા વધારે અગ્રિમતા આપવામાં આવશે. રસી બનાવનાર કંપનીઓ રસીના સમાન વિતરણ અંગેનો કેવી રીતે નિર્ણય કરી શકે.
શું સરકાર લોકડાઉનનો નિર્ણય કરશે
સુપ્રીમની ખંઠપીઠે જણાવ્યું કે શું કોરોનાને નાથવા માટે કેન્દ્ર સરકાર લોકડાઉનની જાહેરાત કરશે. તેણે કહ્યું કે સોશિયલ મીડિયા પર મદદ માંગતા પોકારની સામે પગલાં ન ભરો. સુપ્રીમે કેન્દ્ર સરકારને એવો પણ આદેશ આપ્યો કે સોશિયલ મીડિયા પર ઓક્સિજન,બેડ કે ડોક્ટરોની અછતના મુદ્દે ફરિયાદ કરનાર લોકોની સામે કોઈ પગલાં ન ભરો. જો આવા કોઈ પગલાં ભરવામાં આવશે તો પછી પોલીસને સામે અદાલતની કાર્યવાહી કરવામાં આવશે.
ઓક્સિજનનું વિતરણ કેવી રીતે કરવામાં આવી રહ્યું છે ?
સુપ્રીમની ખંડપીઠે સરકારને પૂછ્યું કે કયા આધારે રાજ્યોને ઓક્સિજન વિતરણ કરાઈ રહ્યો છે. જરુરીયાતમંદ લોકો સુધી ઓક્સિજનના ટેન્કર્સ અને સિલિન્ડર પહોંચાડવા માટે કયા પગલાં ભરવામાં આવ્યાં છે. હાલમાં દેશમાં કેટલો ઓક્સિજન બચ્યો છે. વગેરે સહિત સંખ્યાબંધ સવાલો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યાં હતા.