સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ પગલું ભરતાં પોતાની શક્તિઓનો ઉપયોગ કરતા ભાજપના જનપ્રતિનિધિ તેમજ મણિપુરના વન વિભાગના કેબિનેટ મંત્રી ટીએચ શ્યામકુમારને તાત્કાલિક હટાવાનો આદેશ આપ્યો છે અને હવે પછીના આદેશ સુધી વિધાનસભામાં પ્રવેશ પર રોક લગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે પહેલી વાર કર્યો શક્તિનો ઉપયોગ
મણીપુરમાં ભાજપના મંત્રીને કર્યા બરતરફ
સ્પીકરે ત્રણ વર્ષથી દબાવીને રાખી હતી ફાઇલ
સુપ્રીમ કોર્ટ કોઇપણ સરકારના કોઇ કેબિનેટ મંત્રીને હટાવવા માટે બંધારણના અનુચ્છેદ 142 હેઠળ મળેલી પોતાની પૂર્ણ શક્તિનો ઉપયોગ ક્યારેક જ કરે છે.
શ્યામકુમાર 2017માં કોંગ્રેસના એક ઉમેદવાર તરીકે વિધાનસભામાં ચૂંટણી જીત્યા હતા પરંતુ ત્યારબાદ તેઓ ભાજપા સરકારમાં સામેલ થયા હતા. તેમને અયોગ્ય સાબિત કરવાની અરજી હજી પણ વિધાનસભા અધ્યક્ષ પાસે પેન્ડિંગ પડી છે.
સુપ્રીમ કોર્ટે 21 જાન્યુઆરીના રોજ જનપ્રતિનિધિને અયોગ્ય જાહેર કરવાને લઇને 13 અરજીઓ પરના નિર્ણય કરવામાં મોડુ થવાને લઇને ધ્યાન દોર્યું હતું જે એપ્રિલ 2017 થી પેન્ડિંગ છે.
સૂપ્રીમ કોર્ટે મણિપુર વિધાનસભા અધ્યક્ષને જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસના એક નેતાની અરજી પર ચાર અઠવાડીયામાં નિર્ણય કરે જેમાં શ્યામકુમારને અયોગ્ય કરવાની માગ કરવામાં આવી છે.
આ અગાઉ વિધાનસભા અધ્યક્ષે મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટેમાં અપીલ કરી કે આ મામલો 28 માર્ચ સુધી ટાળી દેવામાં આવે તે સમય સુધી અયોગ્ય કરવાની અરજી પર અધ્યક્ષ દ્વારા નિશ્ચિત રીતે એક નિર્ણય લેવામાં આવી જશે.