સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના એ આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં આર્ય સમાજના એક સંગઠનને નિર્દેશ આપવામાં આવ્યો કે, વિવાહ કરતી વખતે તેને વિશેષ વિવાહ અધિનિયમ જોગવાઈઓનું પાલન કરવું જોઈએ.
હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી
સ્પેશિયલ મેરેજ એક્ટમાં લાવવાના આદેશ પર રોક
મધ્ય પ્રદેશની હાઈકોર્ટે આપ્યો હતો આ ચુકાદો
સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના એ આદેશ પર રોક લગાવી દીધી છે, જેમાં આર્ય સમાજના એક સંગઠનને નિર્દેશ આપવામાં આવ્યો કે, વિવાહ કરતી વખતે તેને વિશેષ વિવાહ અધિનિયમ જોગવાઈઓનું પાલન કરવું જોઈએ. મધ્ય ભારત આર્ય પ્રતિનિધિ સભાનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ શ્યામ દીવાન અને વકીલ વંશજા શુક્લાએ તર્ક આપ્યો હતો કે, હાઈકોર્ટે આર્ય સમાજના મંદિરો દ્વારા કરવામાં આવી રહેલા આર્ય સમાજના લગ્નનો ઉલ્લેખ કરીને ધારાસભાના ક્ષેત્રમાં પ્રવેશ કરીને એક ત્રુટિ કરી છે. મધ્ય પ્રદેશનમાં અરજીકર્તાને વિશેષ વિવાહ અધિનિયમ જોગવાઈઓ અનુરૂપ અનુષ્ઠાપન કરવાનું રહેશે. અરજીકર્તા સંગઠને કહ્યું કે, મધ્ય પ્રદેશના તમામ આર્ય સમાજ મંદિરોમાં તેનો અધિકાર છે.
વકીલે આપ્યો આ તર્ક
વકીલે તર્ક આપ્યો હતો કે, હાઈકોર્ટે ખોટી રીતે નિર્દેશ આપ્યો છે કે, આર્ય સમાજ મંદિરોમાં વિશેષ વિવાહ અધિનિયમની કલમ 5,6,7 અને 8 ની જોગવાઈઓનું પાલન કર્યા બાદ વિવાહની મંજૂરી આપવી જોઈએ. જે પૂર્વાર્પેક્ષા શર્તો માટે આપે છે. જેમ કે, ઈચ્છિત વિવાહની સૂચના, પ્રકાશનનું પ્રકાશન, નોટિસ, લગ્નની નોટબુક, લગ્ન પર વાંધાવચકા અને પ્રક્રિયા.
દલીલો સાંભળ્યા બાદ કોર્ટે લગાવી આદેશ પર રોક
જસ્ટિસ કે. એમ. જોસેફ અને ઋષિકેશ રોયે દલીલે સાંભળ્યા બાદ મધ્ય પ્રદેશ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી, જેણે સંગઠનને અધિનિયમ અનુસાર પોતાના દિશાનિર્દેશમાં સંશોધન કરવાના નિર્દેશ આપ્યા હતા અને મધ્ય પ્રદેશ સરકારનો નોટિસ જાહેર કરી હતી.
આ મામલામાં 2020માં હાઈકોર્ટમાં એક આંતર-જાતિય કપલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીથી ઉભો થયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમણે આર્ય સમાજની પરંપરા અનુસાર લગ્ન અને રાજ્ય સરકારને તેમને સુરક્ષા આપવાનો નિર્દેશ આપવા માટે કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.