સમુદ્રના સિકંદર તરીકે પ્રખ્યાત જહાજ INS વિરાટના ભંગાણ કરવા પર સર્વોચ્ચ અદાલતે રોક લગાવી દીધી છે.
INS વિરાટને તોડવા પર રોક
સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ
2017માં ભારતીય નેવીમાંથી થયું નિવૃત્ત
જહાજને મ્યુઝિયમમાં બદલવા માગ
INS વિરાટને તોડવા સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ
નૌસેનાથી હટાવી દેવામાં આવેલ યુદ્ધજહાજ INS વિરાટને તોડવા પર સર્વોચ્ચ અદાલતે રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે અત્યારે યથાસ્થિતિ જાળવી રાખવામાં આવે. કોર્ટે આ સાથે જ INS વિરાટને ખરીદનારને નોટિસ પણ જાહેર કરી છે.
નેવીના યુદ્ધ જહાજ INS વિરાટને તોડવા પર રોક
નોંધનીય છે કે સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે આ જહાજને તોડવામાં આવે એના કરતાં તેણે મ્યુઝિયમમાં ફેરવી શકાય છે.
શ્રીરામ ગ્રુપે યુદ્ધ જહાજને 38.54 કરોડમાં ખરીદ્યું હતું
આ જહાજ વિમાનવાહક છે અને તેને વર્ષ 1987માં નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. વર્ષ 2017માં નૌસેનામાંથી INS વિરાટ નિવૃત્ત થયું અને તે બાદ એક ગ્રુપે જહાજને હરાજીમાં ખરીદી લીધું હતું.
યુદ્ધ જહાજને તોડવાથી સારું છે મ્યુઝિયમમાં બદલવામાં આવે-અરજદાર
આ જહાજ હાલમાં તૂટવા માટે ગુજરાતના અલંગમાં પહોંચી ગયું છે પરંતુ હવે તેને તોડવા પર સર્વોચ્ચ અદાલત દ્વારા રોક લગાવી દેવામાં આવી છે. નોંધનીય છે કે આ જહાજને ભંગાર કરી દેવાના સરકારના નિર્ણયનો પહેલા પણ વિરોધ થયો હતો. શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ રક્ષા મંત્રાલયને એક પત્ર લખ્યો હતો. આ પહેલા મહારાષ્ટ્ર સરકારે પણ પ્રસ્તાવ આપ્યો હતો કે આ જહાજને સંરક્ષિત કરવામાં આવે.
બ્રિટન નેવીમાં આપી હતી સેવા
'સમુદ્રના સિકંદર' નામથી પ્રસિદ્ધ આ યુદ્ધજહાજ ભારતનો બીજો વિમાન વાહક જહાજ છે અને આ જાહાજે 30 વર્ષ સુધી ભારત નૌસેનામાં સેવા આપી. આ પહેલા તેણે બ્રિટનના રોયલ નેવીમાં 25 વર્ષ સુધી સેવા આપી હતી. આ જહાજનું ધ્યેય વાક્ય 'जलमेव यस्य, बलमेव तस्य' છે જેનો અર્થ થયા છે 'જેનો દરિયા પર કબજો છે તે જ સૌથી વધુ બળવાન છે'
હરતું-ફરતું શહેર જ સમજી લો...
નોંધનીય છે કે આ યુદ્ધ જહાજ એક પ્રકારથી હરતું-ફરતું શહેર જ હતું. તેમાં લાયબ્રેરી, જીમ, એટીએમ, ટીવી-વીડિયો સ્ટુડીઓ, હોસ્પિટલ, મીઠા પાણીના પ્લાન્ટ જેવી સુવિધાઓ હતી.
વિવિધ ઓપરેશનમાં સામેલ થયું જહાજ
226 મીટર લાંબા અને 49 મીટર પહોળા INS વિરાટને ભારતીય નૌસેનામાં સામેલ કર્યા બાદ જુલાઈ 1989માં ઓપરેશન જુપિટરમાં પહેલીવાર શ્રીલંકામાં શાંતિ સ્થાપના માટે ઓપરેશનમાં મોકલવામાં આવ્યો હતો. 2001માં ભારતીય સંસદ પર આતંકવાદી હુમલા બાદના ઓપરેશન પરાક્રમમાં પણ આ યુદ્ધ જહાજની ખૂબ મોટી ભૂમિકા હતી. વિરાટ યુદ્ધ જહાજે છ વર્ષથી વધારે સમય સમુદ્રમાં વિતાવ્યો અને આ દરમિયાન વિશ્વના 27 વાર ચક્કર લગાવામાં 1,094,215 કિમીનું અંતર કાપ્યું.
ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ
INS વિરાટનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે અને આ દુનિયાનો એકમાત્ર એવું યુદ્ધ જહાજ છે જે આટલા વર્ષના ઉપયોગ બાદ પણ વપરાઈ રહ્યું છે અને સારી પરિસ્થિતિમાં છે. યુદ્ધ જહાજને 'ગ્રેટ ઓલ્ડ લેડી'ના નામથી પણ ઓળખવામાં આવે છે. પશ્ચિમી નૌસેના દ્વારા એકવાર કહેવામાં આવ્યું હતું કે ઈતિહાસમાં સૌથી વધારે સેવા આપનાર આ એકમાત્ર યુદ્ધજહાજ છે.