ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજા પર સ્ટે મૂક્યો છે તો હાર્દિકને ચૂંટણી લડવાની પણ મંજૂરી આપી દીધી છે.
હાર્દિક પટેલની બે વર્ષની સજા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો
વિસનગરમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલને સજા સંભળાવાઇ હતી
ચૂંટણી લડવા પણ સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી
હાર્દિક પટેલને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે બે વર્ષની સજા પર સ્ટે મૂક્યો છે. તમને જણાવી દઇએ કે, વિસનગરમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલને 2 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. આ સાથે હાર્દિક પટેલે 2019માં ચૂંટણી લડવા મંજૂરી માંગી હતી જે બાબતે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. આથી હાર્દિક પટેલ હવે વિધાનસભા ચૂંટણી લડી શકે છે.
Supreme Court stays conviction of Congress leader Hardik Patel until the appeals are decided, in rioting and arson during the Patidar quota stir, saying that concerned High Court should have stayed the conviction
પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાન પર નિર્ણય ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર સ્ટે
સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તોફાન અને આગચંપીમાં અપીલો પર નિર્ણય ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂક્યો છે અને કહ્યું છે કે, સંબંધિત હાઈકોર્ટે સજા પર સ્ટે મૂકવો જોઈતો હતો.
હાર્દિક પટેલને લઈને મહત્વના સમાચાર
હાર્દિક પટેલ લડી શકશે વિધાનસભા ચૂંટણી
સુપ્રીમકોર્ટે આપી મંજૂરી
હાર્દિક પટેલે 2019માં ચૂંટણી લડવા મંજૂરી માંગી હતી
વિસનગરમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલને સજા સંભળાવાઈ હતી
તમને જણાવી દઇએ કે, ગયા મહિનાની શરૂઆતમાં ગુજરાત સરકારે પાટીદાર અનામત આંદોલનના સંદર્ભે નોંધાયેલા 10 કેસો પરત ખેંચી લીધા હતા. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે તે સમયે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરને આપવામાં આવેલા નિર્દેશો મુજબ કેસ પરત ખેંચવા માટે વિવિધ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. અમદાવાદની સેશન્સ કોર્ટે 7 કેસ પરત ખેંચવાની મંજૂરી આપી હતી.
હાર્દિક પટેલ સામે રાજદ્રોહના કેસ સિવાય પાટીદાર અનામત આંદોલનનો કોઈ કેસ પેન્ડિંગ નથી : સુધીર બ્રહ્મભટ્ટ
સિટી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે વધુ ત્રણ કેસ પરત ખેંચવાની મંજૂરી આપી હતી. જે અન્ય કલમો વચ્ચે કલમ 143, 144, 332 હેઠળ નોંધાયેલા હતા. સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ સામેના રાજદ્રોહના કેસ સિવાય અમદાવાદની સેશન્સ કોર્ટમાં પાટીદાર અનામત આંદોલનનો કોઈ કેસ પેન્ડિંગ નથી. મેટ્રોપોલિટન કોર્ટ 15 એપ્રિલે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલ પટેલ અને અન્યો સામેના ફોજદારી કેસને પરત ખેંચવા અંગેનો આદેશ આપી શકે છે.
બીજી તરફ હાર્દિક પટેલે આંદોલનને લગતી તમામ બાબતો પાછી લઈને સરકાર પાટીદાર યુવાનોને રાહત આપે તેવી માંગ કરી હતી. હાર્દિકે સરકારને ચેતવણી આપી હતી કે, જો કેસો પાછા ખેંચવામાં નહીં આવે તો વધુ એક આંદોલન કરવામાં આવશે.