નોબેલ પુરસ્કારથી સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને દાવો કર્યો છે કે સંશોધિત નાગરિકતા કાયદો (CAA) બંધારણની જોગવાઈઓ સાથે સુસંગત નથી. તેમણે અહીં ઈન્ફોસીસ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં પત્રકારોને જણાવ્યું હતું કે મારી દ્રષ્ટિએ CAA કાયદો ગેરબંધારણીય હોવાના આધારે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ થવો જોઈએ.
અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને CAA ને લઇને આપ્યું નિવેદન
CAA બંધારણની જોગવાઇ સાથે સુસંગત નથી
સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય હોવાના કારણે રદ્દ કરવો જોઇએ
અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને જણાવ્યું કે આપણને જે મૂળભૂત અધિકારો મળ્યાં છે તે એવા નહી જે નાગરિકતાને ધાર્મિક મતભેદોના આધાર પર બન્યા હોય.
અમર્ત્ય સેને કહ્યું કે નાગરિકતા નક્કી કરવા માટે વાસ્તવમાં તે મહત્વનું હોય છે કે એક વ્યક્તિનો જન્મ ક્યાં થયો છે અને ક્યાં રહે છે. અર્થશાસ્ત્રીના કહેવા અનુસાર કે મે CAA કાયદો વાંચ્યા બાદ મારુ માનવું છે કે આ બંધારણની જોગવાઇનું ઉલ્લંઘન કરે છે.
આ વાત સાચી છે કે કોઇ બીજા દેશમાં અત્યાચારનો ભોગ બનેલા હિન્દુ સહાનુભૂતિના હકદાર છે તેમના મામલે ધ્યાન આપવું જોઇ પરંતુ નાગરિકતાને ધર્મથી અલગ રાખવો જોઇએ અને સાથે પીડિત અથવા શોષિત લોકોની પરેશાનીઓને ધ્યાનમાં રાખવી જોઇએ.
JNU મામલે અર્થશાસ્ત્રી સેને કહ્યું કે વિશ્વવિદ્યાલય તંત્ર અને પોલીસ વચ્ચે વાતચીતમાં મોડુ થયું, જેના કારણે કોઇપણ પગલું ભરતાં પહેલા જ વિદ્યાર્થીઓમાં હિંસા થઇ.