સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામનારાના પરિવારને કોવિડ વળતર માટે સમયમર્યાદા નક્કી કરી છે.
કોરોનાના વળતર મામલે આવી ખોટા ક્લેમ આવ્યા હોવાની રાવ
વડી અદાલતે વળતર મામલે સમયમર્યાદા નિર્ધારિત કરી
જો નિર્ધારિત સમયમાં ક્લેમ કરી શકતા નથી તો...
સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામનારાના પરિવારને કોવિડ વળતર માટે સમયમર્યાદા નક્કી કરી છે. કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે 24 માર્ચના રોજ એક આદેશમાં કહ્યું હતું કે, કોવિડ 19 મોતના વળતરના દાવા દાખલ કરવા માટે સમયમર્યાદા નિર્ધારિત કરી છે.
વળતર મામલે સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી
જેમાં 20 માર્ચ પહેલા થયેલા મોત માટે 60 દિવસની અંદર પરિવારના લોકોએ દાવો કરવા જરૂરી છે. જ્યારે ભવિષ્યમાં કોઈ પણ મોત માટે ક્લેમ ફાઈલ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. દાવાને સંસાધિત કરવા માટે અને દાવાની પ્રાપ્તિ માટે તારીખથી 30 દિવસના સમયગાળાની અંદર વળતર માટે વાસ્તવિક ચુકવણી કરવા માટે પહાલાના આદેશને લાગૂ કરવાનો ચાલુ રાખવામાં આવશે.
જો નિર્ધારિત સમયમાં અરજી કરી શકતા નથી તો...
તો વળી સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એવું પણ કહ્યું છે કે, વધારે પડતી મુશ્કેલીઓના કેસમાં જ્યાં કોઈ દાવેદાર નિર્ધારિત સમય મર્યાદાની અંદર અરજી કરી શકતા નથી, દાવેદાર માટે ફરિયાદ નિવારણ સમિતિનો સંપર્ક કરીને પૈનલના માધ્યમથી દાવો કરવા માટે ખુલ્લો હશે, જેના પર વિચાર કરવામાં આવશે. સરકારે કહ્યું છે કે, મામલાના આધાર પર જો સમિતિ દ્વારા એ સામે આવે છે કે, એક વિશેષ દાવેદાર નિર્ધારિત સમયની અંદર દાવો નથી કરી શકતો, તો યોગ્યતાના આધાર પર વિચાર કરી શકાય છે.
નકલી દાવા કરનારા પર થઈ શકે છે મોટી કાર્યવાહી
વડી અદાલતે એ નિર્દેશ આપ્યા છે કે, નકલી દાવાના ભારણને ઓછુ કરવા માટે દાવા અરજીમાં 5 ટકા રેન્ડમ સિક્યોરિટી તપાસ કરવામાં આવશે. જો એવું સામે આવે કે કોઈએ નકલી ક્લેમ કર્યો છે, તો તેના પર ડીએમ અધિનિયમ 2005ની કલમ 52 અંતર્ગત વિચાર કરવામા આવશે અને તે અનુસાર તેને દંડીત કરવામાં આવશે.