18 ઓક્ટોબર સુધી અયોધ્યા મામલાની સુનાવણી પૂરી થઇ શકે છે અને જલ્દીથી આ મામલે કોઇ મોટો નિર્ણય આવી શકે છે. મામલની સુનવણી કરતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ એના સંકેત આપ્યા.
અયોધ્યા કેસને લઇ સૌથી મોટા સમાચાર, 18 ઓક્ટોબર સુધી અયોધ્યા મામલાની સુનાવણી પૂરી થઇ શકે
CJIએ કેસની સુનાવણી પૂર્ણ કરવાની તારીખ કરી નક્કી
જરૂર પડશે તો દરરોજ 1 કલાક વધુ સુનાવણી કરીશું તેવુ CJIએ જણાવ્યું
દશકો જૂના રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ પ્રોપર્ટી વિવાદમાં જલ્દીથી નિર્ણય આવે એવી આશા છે. હિંદુ પક્ષની સુનાવણી બાદ હવે મુસ્લિમ પક્ષની સુનાવણી પૂરી થવાની છે. જાણવા મળી રહ્યું છે કે 18 ઓક્ટોબર સુધી અયોધ્યા મામલાની સુનાવણી પૂર્ણ થઇ શકે છે અને જલ્દીથી આ મામલે કોઇ મોટો નિર્ણય આવી શકે છે.
દશકો જૂના રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ પ્રોપર્ટી વિવાદમાં નિર્ણય નવેમ્બર પહેલા આવી શકે છે. મામલની સુનવણી કરતાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ એના સંકેત આપ્યા.
Ayodhya land dispute case: Chief Justice of India Ranjan Gogoi says, "as per the estimate of tentative dates to finish the hearing in the case, we can say that the submissions have to be likely completed by October 18." pic.twitter.com/cj40Tb979r
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે પણ તમામ પક્ષોને પૂછ્યું કે,
એ કેટલા કેટલા દિવસમાં પોતાની ચર્ચા પૂરી કરી લેશે. સંવિધાન પીઠની અધ્યક્ષતા કરી રહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ કહ્યું કે જો એક વખત તમામ પક્ષ એવું જણાવી દે છે કે એ કેટલો સમય લેશે તો અમને પણ ખબર પડી જશે કે નિર્ણય લખવામાં કેટલો સમય મળશે.
જણાવી દઇએ કે ચીફ જસ્ટિસ રંજન ગોગાઇ આ વર્ષે 17 નવેમ્બરે રિટાયર થઇ રહ્યા છે. એટલા માટે શક્ય છે કે સંવિધાન પીઠ દશકો જના આ વિવાદ પર એ પહેલા ચુકાદો આપી શકે છે. મુસ્લિમ પક્ષની તરફથી વરિષ્ઠ વકીલ રાજીવ ધવને ચર્ચાની શરૂઆત કરતાં કહ્યું હતું કે વિવાદીત સ્થળથી મળેલા સ્તંભો પર મળી આવેલા નિશાનથી એવું સાબિત થઇ શકે નહીં એ ઇસ્લામિક નથી. ધવને કહ્યું કે મસ્જિદો માત્ર મુસલમાનો દ્વારા જ બનાવવામાં આવી નહતી. તાજમહેલનું નિર્માણ માત્ર મુસલમાનોએ જ કર્યું નહતું. એમાં મુસ્લિમ અને હિંદુ બંને સમયુદાયના મજૂરો સામેલ હતા.
સુન્ની વક્ફ બોર્ડ જમીનના માલિક તરીકે હકની સતત માગણી કરતું રહ્યું છે. હવે એમને સમિતિને મધ્યસ્થકા માટે પત્ર લખ્યો છે. બોર્ડ ઇચ્છે છે કે વાતચીતના મુદ્દાને ઉકેલવાનો પ્રયત્ન ફરીથી કરવામાં આવે, નિર્વાણી અખાડા હનુમાન ગઢી મંદિરની દેખરેખ કરનાર ત્રણ પ્રમુખ રામઆનંદી અખાડાોમાંથી એક છે. નિર્વાણી અખાડેની વાતચીતથી વિવાદ ઉકેલવાની વાતથી નિર્મોહી અખાડો પણ સહેમત છે.
જણાવી દઇએ કે પહેલા વાતચીત દ્વારા મામલાને ઉકેલવાની કવાયત એ સમયે અટકી ગઇ, જ્યારે જમીયત ઉલેમા-એ-હિંદે કટ્ટરપંથી વલણ અપનાવ્યું અને રામ જન્મભૂમિ ન્યાસ વિવાદીત સ્થળ પર મંદિર બનાવવાની માગણીને લઇને અટકી ગયું.