સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સલાહ આપતા કહ્યું છે કે, દેશદ્રોહ એટલે કે, સિડિશન કાયદાના ઉપયોગથી બચવું જોઈએ, જ્યાં સુધી આ મામલે સરકાર ખુદ કોઈ નિર્ણય નથી લેતી.
દેશદ્રોહના કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર મળ્યો
કોર્ટે કેન્દ્ર પાસે માગ્યો જવાબ
24 કલાકનો સરકારને આપ્યો સમય
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સલાહ આપતા કહ્યું છે કે, દેશદ્રોહ એટલે કે, સિડિશન કાયદાના ઉપયોગથી બચવું જોઈએ, જ્યાં સુધી આ મામલે સરકાર ખુદ કોઈ નિર્ણય નથી લેતી. આ સંબંધમાં બુધવારે સવાર સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. હવે કેન્દ્ર સરારનું વલણ બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કરશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારના એ એફિડેવિટના વખાણ કર્યા હતા, જેમાં લખ્યું છે કે, કેન્દ્ર સરકાર ધીમે ધીમે અંગ્રેજોના જમાનાના કાયદાને ખતમ કરી રહી છે. આ જ ક્રમમાં ખુદ પ્રધાનમંત્રી મોદી દેશદ્રોહના કાયદા પર પણ વિચાર કરી રહી છે. સુપ્રીમ કોર્ટે સરકારના ઈરાદાના વખાણ કર્યા હતા.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહી આ વાત
સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું કે, આ કાયદા પર સરકાર ક્યાં સુધી નિર્ણય લઈ લેશે અને ત્યાં સુધી આ કાયદાનો ખોટો ઉપયોગ ન થાય તે કેવી રીતે નક્કી કરશો ? સાથે જ આ કાયદા અંતર્ગત જે લોકો જેલમાં બંધ છે, તેમનું શું થશે ? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે, બની શકે છે કે, સરાકર ખુદ આ કાયદાનો ઉપયોગ ન કરે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર આ મામલા પર કોઈ નિર્ણય ન લઈ.
જો સરકાર ખુદ કાયદાને ખતમ કરવા માગે છે તો
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કાયદોનો ઉપયોગ જમીન પર પોલીસ કરે છે, જો સરકાર ખુદ આ કાયદાને ખતમ કરવા માગે છે, તો તેનો ઉપયોગ બંધ થવો જોઈએ. અરજીકર્તાઓ તરફથી વકીલ કપિલ સિબ્બલે આ વાતનો ખતરો જણાવતા કહ્યું કે, સરકાર, કાયદાને રદ કરવા માટે કોઈ સમય જણાવતી નથી. એટલા માટે કાયદાનો ખોટો ઉપયોગ થતો રહે છે અને લોકો જેલમાં જાય છે. અરજીકર્તાના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આઈપીસીની જોગવાઈ 124 એ ને પડકાર આપવામાં આવ્યો છે, નવા સંશોધિત કાયદા જે આવશે,તે આવશે પણ હાલમાં તો આપણે હાલની જોગવાઈને પડકાર આપ્યો છે.
સીજેઆઈએ કહ્યું કે, અમારી નોટિસને લગભગ 9 મહિના થઈ ગયા છે. હજૂ પણ સરકારને જવાબ માટે સમય જોઈએ. આખરે કેટલો સમય જોઈએ. તેના પર સોલિસિટર જનરલે કહ્યું કે, અમે કાયદાકીય આધારે અમારી વાત એફિડેવિટમાં રજૂ કરી છે. પણ કાયદાને સંશોધનમાં કેટલો સમય લાગી શકે છે, તેના સંબંધમાં કોઈ આશ્વાસન આપી શકાતું નથી.