દેશમાં કોરોના વાયરસ કાળ બન્યો છે. કુલ દર્દીઓનો આંકડો 91 લાખને પાર પહોંચ્યો છે તો દેશના 4 રાજ્યો એવા છે જ્યાં કોરોના વાયરસના સૌથી વધુ દર્દીઓ જોવા મળ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં કોવિડ-19ના RTPCR ટેસ્ટની કિંમત સમાન હોય તેને લઇને એક અરજી કરવામાં આવી હતી.
કોરોના ટેસ્ટિંગનો મામલો
સુપ્રીમ કોર્ટની લાલ આંખ
કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ
ઉલ્લેખનીય છે કે, આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને વડી અદાલતે આ સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ મોકલીને જવાબ આપવા કહ્યું છે.
સમગ્ર દેશમાં RTPCR ટેસ્ટની કિંમત 400 કરવામાં આવે
વકીલ અજય અગ્રવાલે કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં કોરોના માટે આરટી-પીસીઆર ટેસ્ટની કિંમત અલગ-અલગ છે. આખા દેશમાં આ તપાસની કિંમત 400 રૂપિયા હોવી જોઈએ. આનાથી કોરોના ટેસ્ટમાં વધારો થશે અને લોકોને ફાયદો થશે. સુપ્રીમ કોર્ટે આ અરજીને સૂચિબદ્ધ કરી છે અને બે અઠવાડિયા પછી તેની સુનાવણી થશે.
Supreme Court seeks response from the Centre on hearing a lawyer's plea seeking direction to cap the RT-PCR #COVID19 test price at Rs 400 across the country, instead of varying rates. pic.twitter.com/6ietfVBlKf
સુપ્રીમ કોર્ટે ગઇકાલે 4 રાજ્યોની સરકાર પાસે માગ્યો જવાબ
કોરોનાકાળમાં વધતા કેસોની વચ્ચે લગ્નપ્રસંગ અને મેળાવડાને લઈને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી. SCએ કહ્યું દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં વણસી રહી છે પરિસ્થિતિ. કોર્ટે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને અસમ પાસેથી કોરોના અંગે રિપોર્ટ માંગ્યો હતો અને આ રિપોર્ટ શુક્રવાર સુધીમાં રજૂ કરવાનું સૂચન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 91 લાખને પાર પહોંચી છે. આ દરમિયાન, દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દરરોજ નોંધાતા કોરોના કેસમાં મટો ઉછોળો જોવા મળી રહ્યો છે. આ સાથે જ મોતનો આંક પણ વધ્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજી હતી બેઠક
કોરોનાના સંક્રમણને લઈને PM મોદીએ યોજી હાઇલેવલ બેઠક, CM રૂપાણીએ ગુજરાતમાં RT-PCR ટેસ્ટ ત્રણ ગણા કરાયા હોવાની માહિતી આપી. આ સાથે રાજ્યમાં કોરોના અંગેની કામગીરીના તમામ પગલાથી માહિતગાર કર્યા. ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરે બેઠકમાં હાજર નહોંતા રહ્યા. રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે જણાવ્યું કે હવે રાજ્યમાં 100 ટકા RT-PCR ટેસ્ટ થઈ રહ્યા છે. કોરોનાના તમામ નિયમોનું પાલન કરાવાઈ રહ્યું છે. રાત્રે કર્ફ્યુ પણ લાદ્યો છે. મીટિંગમાં પીએમ મોદીએ હરિયાણાના સીએમને કહ્યું કે અમને નંબર નહીં કોરોનાની વિરુદ્ધ રાજ્ય સરકારે ઉઠાવેલા પગલા અંગે જાણકારી આપો.
પીએમ નરેન્દ્ર મોદી અને રાજ્યનો મુખ્યમંત્રીઓની બેઠકમાં અમિત શાહે કહ્યું કે યુરોપ- અમેરિકામાં ફરી કેસ વધી રહ્યા છે. ત્યારે સાવધાન રહેવાની જરુર છે. અમિત શાહે રાજ્યોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને ફરજિયાત કરવા પર ભાર મૂક્યો છે. શાહ બાદ સ્વાસ્થ્ય સચિવે આગામી દિવસોની જાણકારી આપતા કહ્યું કે દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને સાવધાની રાખવી પડશે.