ન્યૂ દિલ્હીઃ સુપ્રિમ કોર્ટમાં મંગળવારનાં રોજ લોકપાલની નિયુક્તિને લઇને કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરવામાં આવી. સુપ્રિમ કોર્ટ તરફથી એવી આશા દર્શાવવામાં આવી કે મોદી સરકાર ટૂંક સમયમાં જ લોકપાલની નિયુક્તિ કરશે.
જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ આર ભાનુમતિની સંવૈધાનિક પીઠે આ સંદર્ભમાં કોઇ પણ પ્રકારનો આદેશ રજૂ કરતા પહેલાં સ્પષ્ટપણે મનાઇ કરી દીધી છે.
કોર્ટ હવે આ મામલે 15મેંનાં રોજ સુનાવણી કરશે. કેન્દ્ર તરફથી એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે "નામચીન હસ્તીઓની નિયુક્તિ માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
તેઓએ સુપ્રિમ કોર્ટને જણાવ્યું કે સરકાર લોકપાલની નિયુક્તિ પર કામ કરી રહી છે. વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું કે સરકાર જાણી જોઇને નિયુક્તિને અટકાવી રહી છે. ગઇ સુનાવણીમાં કેન્દ્રએ જણાવ્યું હતું કે લોકપાલની નિયુક્તિને લઇને મીટિંગ થઇ. કેન્દ્રએ એમ જણાવ્યું કે સૌથી પહેલા એમિનેંટ જૂરિસ્ટની નિયુક્તિ કરીશું.
ગયા મહિને થયેલી સુનાવણીમાં કેન્દ્રએ લોકપાલની નિયુક્તિમાં મોડેકથી વાત કરી હતી. કેન્દ્ર તરફથી એવું કહેવામાં આવ્યું કે લોકપાલ કાનૂનને આધારે ચયન સમિતિમાં વિપક્ષનાં નેતાનું હોવું જરૂરી છે પરંતુ 16મી લોકસભામાં કોઇને વિપક્ષનાં નેતા તરીકે જાહેર નથી કરવામાં આવેલ.
સીટોનો આંકડો જો જોવામાં આવે તો આ સમયે કોંગ્રેસ સદનની મુખ્ય વિપક્ષી પાર્ટી છે પરંતુ એમનાં તરફથી વિપક્ષ નેતા જાહેર નથી કરવામાં આવેલ. જો કે કેન્દ્ર સરકાર તરફથી કોંગ્રેસનાં નેતા મલ્લિકાર્જુન ખડગેને લોકપાલ ચયન સમિતિમાં વિશેષ આંમત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેઓએ આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો.