સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે જો અમારી ઉપર કોઈ કોર્ટ હોત તો તે અમારા અડધા આદેશોને પલટાવી નાંખત. કોર્ટે આ ટિપ્પણી એક ભાડુઆતના પરિસર ખાલી કરાવવાનો આદેશ આપતા કરી છે.
પીઠે કહ્યું કે સૈદ્ધાંતિક રુપમાં શીર્ષ કોર્ટે ત્યાં સુધી હસ્તક્ષેપ ન કરવો જોઈએ જ્યાં સુધી ...
અમારી ઉપર પણ કોર્ટ હોત તો અમારા 50 ટકા નિર્ણયોને તે પલટી નાંખતી
પીઠે કહ્યું કે સૈદ્ધાંતિક રુપમાં શીર્ષ કોર્ટે ત્યાં સુધી હસ્તક્ષેપ ન કરવો જોઈએ જ્યાં સુધી ...
જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ હૃષિકેશ રોયની પીઠે કહ્યું કે અધિનસ્થ ન્યાયાલયો દ્વારા પારિત પ્રત્યેક આદેશોની વિરુદ્ધ અપીલ દાખલ કરવાનો અંત તો હોવો જ જોઈએ. પીઠે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ કરવામાં સાવધાની વર્તવી જોઈએ. જ્યારે અધિનસ્થ ન્યાયલયો દ્વારા એકસમાન રુપથી વિવાદને પહોંચી વળવા માટે નિશ્વિત વર્ગ અથવા પક્ષમાં કરવામાં આવવો જોઈએ. પીઠે કહ્યું કે સૈદ્ધાંતિક રુપમાં શીર્ષ કોર્ટે ત્યાં સુધી હસ્તક્ષેપ ન કરવો જોઈએ જ્યાં સુધી તમામ અધિનસ્થ કોર્ટોનો નિર્ણય સમાન હોય.
અમારી ઉપર પણ કોર્ટ હોત તો અમારા 50 ટકા નિર્ણયોને તે પલટી નાંખતી
પીઠે કહ્યું કે જો આપણે તમામ મામલામાં વધારે જીણવટ તથા આત્મીયતાની સાથે જોવાનું શરુ કરી દઈએ તો અમે એ કર્તવ્ય નહીં નિભાવી શકીએ જેની આ કોર્ટને હંમેશા અપેક્ષા છે. નિર્ણય લેવામાં કેટલીક નિરંતરતા હોવી જોઈએ અને જો આપણે અપવાદ બનવાનું શરુ કરી દીધું તો આ પોતાનામાં જ એક સમસ્યા હશે. પીઠે એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા કેટલાક નિશ્ચિત સિદ્ધાંતોનું પાલન થવું જોઈએ. અને ચોથા ન્યાયલય તરીકે હસ્તક્ષેપ કરવા માટે ન કહી શકાય. કોઈ પોઈન્ટ પર તો આને ખતમ કરવું જ જોઈએ. જો અમારી ઉપર પણ કોર્ટ હોત તો અમારા 50 ટકા નિર્ણયોને તે પલટી નાંખતી.
આ છે મામલો
સુપ્રીમ કોર્ટ એક ભાડુઆતની અપીલ પર સુનવણી કરી રહી હતી. દિલ્હી હાઈકોર્ટે ભાડુઆત આર્ય કન્યા પાઠશાળાના પરિસરને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. જેને તેણે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટની પહેલા અતિરિક્ત ભાડા નિયંત્રક અને ભાડા નિયંત્રણ ન્યાયાધિકરણે આર્ય કન્યા પાઠશાળાના પરિસરને ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.
અરજદારે માનવીય દ્રષ્ટિકોણ અપનાવવાની અપીલ કરી હતી
પાઠશાળા તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ પીએસ નરસિમ્હાએ સુપ્રીમ કોર્ટને આ મામલામાં માનવીય દ્રષ્ટિકોણ અપનાવવાનો આગ્રહ કર્યો કેમ કે આ વિદ્યાર્થીનીઓના અભ્યાસ સાથે જોડાયેલો મામલો છે. પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે 3 અધિનસ્ય ફોરમ દ્વારા એક જેવો આદેશ પારિત કરવામાં આવ્યો છે. તેવામાં અમારી દખલગીરી યોગ્ય નહી. સુપ્રીમ કોર્ટે અપીલને ફગાવતા 30 જૂન સુધી શાંતિપૂર્ણ રીતે પરિસર ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે.