સુપ્રીમ કોર્ટે ગઈકાલે એક મોટો નિર્ણય આપ્યો છે. કોઈ પણ કર્મચારી પર જો કંઈ કામ બાકી રકમ છે તો તેના ગ્રેજ્યુઈટીના રૂપિયા રોકી દેવામાં આવશે અથવા જપ્ત કરાશે. ન્યાયમૂર્તિ સંજય કે કૌલની અધ્યક્ષતામાં કહેવાયું છે કે કોઈપણ કર્મચારીની ગ્રેજ્યુઈટીથી દંડાત્મક ભાડું સરકારી રહેઠાણમાં રિટાયરમેન્ટ બાદ પણ રહેવા માટે દંડ સહિત ભાડું વસૂલ કરવાનો કોઈ પ્રતિબંધ નથી.
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
ગ્રેજ્યુઈટી અને પગારને લઈને લીધો નિર્ણય
સરકારી મકાનને લઈને પણ લેવાયો નિર્ણય
કોર્ટે કહ્યું કે જો કોઈ કર્મચારી નક્કી કરાયેલા સમયથી વધારે સમય સુધી સરકારી ઘર પર કબ્જો કરે છે તો તેની પાસેથી દંડ સાથે ભાડું વસૂલવામાં આવશે. જો કર્મચારી રૂપિયા આપતા નથી તો તેની ગ્રેજ્યુઈટીમાંથી આ રૂપિયા કાપી લેવામાં આવશે. આ નિર્ણયની બેંચમાં ન્યાયમૂર્તિ દિનેશ માહેશ્વરી અને હ્રષિકેશ રોય પણ સામેલ હતા.
ગયા અઠવાડિયે જાહેર કરાયો હતો આ આદેશ
આ આદેશ કાયદાના એેક વિવાદિત બિંદુને ઉકેલે છે. કેમકે સુપ્રીમ કોર્ટની પીઠના પહેલાંથી તેની વિપરિત નિર્ણય લેવાયો છે. 2017માં એક ડિવિઝન બેંચના એક કર્મચારીએ ગ્રેજ્યુઈટીને સેવાનિવૃત્તિ બાદ અધિકારીક ક્વાર્ટરમાં રિટાયરમેન્ટ બાદ રહેવાના કારણે જપ્ત કરવાની વિરુધ્ધમાં ખાસ નિર્ણય લીધો હતો. કોર્ટે તેની ગ્રેજ્યુઈટીને તત્કાળ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો અને ફક્ત સામામન્ય ભાડું રાખ્યું હતું. તેમાં કોઈ દંડ લેવાયો ન હતો. આ નિર્ણયમાં અદાલતે સ્વીકાર કર્યો છે કે ગ્રેજ્યુઈટી જેવા પેન્શનના લાભ એક ઈનામ નથી. માનવામાં આવે છે કે બાકી વસૂલી સંબંધિત કર્મચારીની સહમતિ વિના ગ્રેજ્યુઈટીથી કરી શકાય છે.
સર્વોચ્ચ અદાલતે ઉચ્ચ ન્યાયાલયના આદેશનો એક ભાગ નક્કી કર્યો છે જે કહે છે કે સેલ ગ્રેજ્યુઈટી રકમથી બાકીની વસૂલી કરી શકાય નહીં. જો કે આદેશનું મૌદ્રિક રીતે કોઈ હસ્તક્ષેપ કરાયો નથી. આ જોતાં એક નાની રકમ સામેલ છે જે હાલના સમયમાં સેલની આવાસીય યોજનામાં પણ ફેરફાર આવ્યો છે.