સુપ્રીમ કોર્ટે દેશમાં બળજબરીથી થતા ધર્માંતરણ પર ચિંતા વ્યક્ત કરી છે. બળજબરીથી ધર્માંતરણ એ ખૂબ જ ગંભીર મુદ્દો છે, તે રાષ્ટ્રની સુરક્ષા અને ધર્મની સ્વતંત્રતાને અસર કરે છે.
બળજબરીથી થતા ધર્માંતરણ પર SC ની ચિંતા
રાષ્ટ્રની સુરક્ષા અને ધર્મની સ્વતંત્રતાને અસર
ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઇ શકે: SC
સુપ્રીમ કોર્ટે દેશમાં બળજબરીથી થતા ધર્માંતરણ પર ચિંતા વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે બળજબરીથી ધર્માંતરણ સંબંધિત અરજી પર સુનાવણી કરતા કહ્યું કે બળજબરીથી ધર્માંતરણ એ ખૂબ જ ગંભીર મુદ્દો છે, તે રાષ્ટ્રની સુરક્ષા અને ધર્મની સ્વતંત્રતાને અસર કરે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેણે ધર્માંતરણને રોકવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે બળજબરીથી ધર્માંતરણના મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડશે. સર્વોચ્ચ અદાલતે ચેતવણી પણ આપી હતી કે જો બળજબરીથી ધર્માંતરણને રોકવામાં નહીં આવે તો "ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ" ઊભી થશે.
કેન્દ્ર સરકાર એફિડેવિટ દાખલ કરશે
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે બળજબરીથી ધર્મ પરિવર્તન એ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને જ્યાં સુધી ધર્મનો સંબંધ છે, તે નાગરિકોની અંતરાત્માની સ્વતંત્રતા તેમજ દેશની સુરક્ષાને અસર કરી શકે છે. કોર્ટે કહ્યું કે તેણે કેન્દ્ર સરકારને આ સમગ્ર મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. આ સાથે છેતરપિંડીથી કરતા ધર્માંતરણને અંકુશમાં લેવા કડક પગલાં ભરવાની માંગ કરતી અરજી પર સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલાની આગામી સુનાવણી 28 નવેમ્બરે થશે.
Supreme Court says forced religious conversion is a very serious issue and may affect the security of the country along with the freedom of conscience of citizens as far as religion is concerned. pic.twitter.com/rHV2qJEhgz
જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ હિમા
કોહલીની ખંડપીઠે સોલિસિટર જનરલ તુષાર મહેતાને આવા કિસ્સાઓને રોકવા માટે પગલાં સૂચવવા કહ્યું જેમાં પ્રલોભન દ્વારા ધર્માંતરણ કરવામાં આવે છે. બેન્ચે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે. તેણે એમ પણ કહ્યું કે બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે કેન્દ્ર દ્વારા ગંભીર પ્રયાસો કરવા જોઈએ. નહિંતર ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થશે. કોર્ટે કહ્યું કે તમે કઇ કાર્યવાહીનો પ્રસ્તાવ મુકો છો તે અમને જણાવો... તમારે કાર્યવાહી કરવી પડશે.