સુપ્રીમ કોર્ટે દેશની શિક્ષણ વ્યવસ્થાને લઈને ગંભીર ટિપ્પણી કરી છે. ખાસ કરીને મેડિકલનું શિક્ષણ એટલું મોંઘુ છે કે, સામાન્ય ઘરના પરિવારના લોકો તો પોતાના બાળકોને આ અભ્યાસ કરાવી પણ શકે નહીં.
દેશની શિક્ષણ વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે મેડિકલના અભ્યાસને લઈને કહી આ વાત
દેશનું શિક્ષણ એક પ્રકારનો ધંધો બની ગયું છે
સુપ્રીમ કોર્ટે દેશની શિક્ષણ વ્યવસ્થાને લઈને ગંભીર ટિપ્પણી કરી છે. મંગળવારે એક કેસમાં જસ્ટિસ બીઆર ગવાઈ અને જસ્ટિસ હિમા કોહલીની બેંચે કહ્યું કે, દેશમાં એજ્યુકેશન સિસ્ટમ એક ઈંડસ્ટ્રી બની ચુકી છે. જેમને મોટા મોટા ઉદ્યોગપતિઓ ચલાવી રહ્યા છે. મેડિકલ કોલેજોની ફી એટલી વધી ગઈ છે કે, ડોક્ટર્સનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ યુક્રેન જેવા દૂરદૂરના દેશો સુધી જવું પડે છે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી ફાર્મસી કાઉંસિલ ઓફ ઈંડિયા તરફથી આવેલી અરજી પર કરી, જેમાં તેમણે દિલ્હી અને કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને પડકાર આપ્યો હતો. કાઉંસિલે નવી ફાર્મસી કોલેજ ખોલવા પર 2020-21ના સેશનથી આગામી 5 વર્ષ માટે રોક લગાવી દીધી હતી. જેને હાઈકોર્ટ ફગાવી દીધી હતી.
ફાર્મસી કોલેજ ખોલવા માગતા લોકોએ અરજી કરી
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પીસીઆઈના આદેશ વિરુદ્ધ 88 અરજીઓ હાઈકોર્ટમાં દાખલ થઈ હતી. આ અરજીઓ નવી ફાર્મસી કોલેજ ખોલવા માગતા લોકો તરફથી દાખલ કરવામાં આવી હતી. કારણ કે, નવી કોલેજો ખોલવા માટે પીસીઆઈ પાસેથી અપ્રુવલ લેવાની હોય છે. પીસીઆઈના આદેશમાં પૂર્વોત્તર અને એવા રાજ્યોને છૂટ આપવામા આવી છે, જ્યાં ડી ફાર્મા અને બી ફાર્મા કોલેજોની સંખ્યા 50થી ઓછી છે. પીસીઆઈના આદેશ પર રોક લગાવતા હાઈકોર્ટે કહ્યું હતું કે, કાઉંસિલ પોતાના અધિકારો આગળ જઈને આ આદેશ પસાર કર્યો છે , તેથી તેને ચાલુ રાખી શકાય નહીં.
હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર
એક રિપોર્ટ્સ અનુસાર, હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ અપીલ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કાઉંસિલ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આ રોક એટલા માટે લગાવામાં આવી છે કે, જેથી ફાર્મસી કોલેજના પુર પર લગામ લગાવી શકાય. જેમને પૈસા કમાવાનું સાધન બનાવી લીધું હતું. એટલા માટે એજ્યુકેશન સ્ટાંડર્ડને નેવે મુકતા પણ અચકાતા નથી. તેના પર જસ્ટિસ ગવઈની અધ્યક્ષતાવાળી વેકેશન બેંચે કહ્યું કે, સૌ કોઈ જાણે છે કે, ભારતમાં એજ્યુકેશન એક ઈંડસ્ટ્રીઝ બની ચુકી છે. મોટા મોટા બિઝનેસમેનો મેડિકલ અને ફાર્મસી કોલેજો ચલાવી રહ્યા છે. તેમા અભ્યાસ એટલો મોંઘો છે કે, મેડિકલના વિદ્યાર્થીઓ યુક્રેન જેવા દેશોમાં જવું પડે છે. ત્યાં અહીં કરતા ભણતર ખૂબ જ સસ્તુ છે.
મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કર્યું હોવાનો દાવો
નવી ફાર્મસી કોલેજો તરફથી રજૂ થયેલા એડવોકેટ દેવદત્ત કામત અને વિનય નવારે કહ્યુ કે, કાઉંસિલના નિર્ણયને હાઈકોર્ટે એટલા માટે ફગાવી દીધો હતો, કારણ કે, તે સંવિધાનના આર્ટિકલ 19(1) (જી)માં આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. તેમણે સુપ્રીમ કોર્ટમાંથી પીસીઆઈને નવી કોલેજોની અરજી પર વિચાર કરવા માટે નિર્દેશ આપવાનું અનુરોધ કર્યો હતો. તેમનું કહેવુ હતું કે, કાઉંસિલના આદેશના કારણે બે વર્ષ પહેલા જ બરબાદ થઈ ચુક્યા છે. તમામ પ્રકારના ઈંન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ ચુક્યા છે, તેમ છતાં પણ કોલેજોને મંજૂરી આપવામાં આવતી નથી.