જીવન વીમાને લઈને ગુરુવારે એક મહત્વનો નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાયો છે. તેમાં કહેવાયું છે કે જો તમે બીમારીની માહિતી છુપાવશો તો વીમા કંપની તમારી અરજી નકારી દેશે.
જીવન વીમા મામલે સુપ્રીમનો મુખ્ય નિર્ણય
બીમારી અંગેની માહિતી છુપાવી નહિં શકાય
વીમા કોન્ટ્રાક્ટ એટમસ ગુડ ફેથ પર આધારીત
જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જીની બેંચે કહ્યું કે, વીમાનો સંબંધ વિશ્વાસ પર નિર્ભર હોય છે. કોઈ વ્યક્તિ જીવન વીમો લેવા ઈચ્છે છે તો તેનું એ દાયિત્વ છે કે તે તમામ તથ્યોનો ખુલાસો કરે, કે જેથી વીમા કંપની તમામ જોખમો પર વિચાર કરી શકે. જીવન વીમો લેતા સમયે પાર્ટીએ દરેક જાણકારી આપવી પડશે.
વીમાનો સંબંધ વિશ્વાસ પર આધારીત હોય છે - SC
જીવન વીમો લેનારની જવાબદારી હોય છે કે તમામ તથ્યોનો ખુલાસો કરે અને સાથે જ જીવન વીમો લેતા સમયે બીમારી અંગેની માહિતી છુપાવે નહીં. જે વ્યક્તિઓ
ગુપ્ત માહિતી રાખશે તેનો ક્લેઇમ રદ થઇ શકે છે. ગુરૂવારે આ મામલે સુપ્રીમમાં મુખ્ય નિર્ણય કરવામાં આવ્યો છે
વીમા કંપની આથી જોખમ આધારીત યોગ્ય નિર્ણય કરી શકે.