સુપ્રીમ કોર્ટે પોતાનું નવું વર્ક રોસ્ટર જાહેર કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હવે ઉચ્ચ અદાલતમાં જનહિત અરજી સાથે જોડાયેલી સુનાવણી ભારતના મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે અને 3 અન્ય સૌથી વરિષ્ઠ જજ કરશે. આ રોસ્ટર 26 નવેમ્બરથી લાગૂ કરવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટમાં નવું રોસ્ટર જાહેર
26 નવેમ્બરે લાગૂ થયું નવું રોસ્ટર
ચીફ જસ્ટિસ અને 3 વરિષ્ઠ જજ સાંભળશે જનહિતની અરજી
રોસ્ટમાં આપવામાં આવેલી કામની વહેંચણીના આધારે ચીફ જસ્ટિસ બોબડેએ પીઆઈએલની સુનાવણીની જવાબદારી પોતાના સિવાય જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ આરએફ નરીમનને સૌંપી છે. ગત રોસ્ટરથી તેને અલગ માનવામાં આવે છે. તેમાં તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જનહિતની અરજીઓની જવાબદારી પોતાના સહિત સુપ્રીમ કોર્ટના 5 જજને આપી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં હવે સીજેઆઈની સાથે જસ્ટિસ રમના, જસ્ટિસ મિશ્રા અને જસ્ટિસ નરીમન તથા જસ્ટિસ આર. ભાનુમતિની હાજરી રહેશે.
PIL કેસથી અલગ સીજેઆઈ બોબડે અવમાનના, ચૂંટણી, સામાજિક ન્યાય, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ટેક્સ સાથે જોડાયેલા કેસની સુનાવણી કરશે. સીજેઆઈ તપાસ સમિતિ, કંપની નિયમો, એકાધિકાર અને પ્રતિબંધાત્મક વેપાર, ટ્રાઈ, સેબી અને ભારતીય રિઝર્વ બેંક સાથે જોડાયેલા કેસ અને મુકદમા પણ જોશે.
અન્ય જજની પીઠ પર રહેશે આ જવાબદારી
જસ્ટિસ એનવી રમનાની ખંડપીઠ સશસ્ત્ર દળ, ભરપાઈની રકમ, અપરાધિક અને સામાન્ય નાગરિક કેસ સિવાય ન્યાયિક અધિકારીઓ, સુપ્રીમ કોર્ટના કર્મચારીઓ, ઉચ્ચ ન્યાયલયો, જિલ્લા અદાલતો અને ન્યાયાધિરણ સાથે સંબંધિત કેસ જોશે.