મંગળવારનાં રોજ સુપ્રીમ કોર્ટે વિવેક ઓબેરોય અભિનીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી'ની રિલીઝ પર પ્રતિબંધ લગાવનારી અરજી નકારી કાઢી છે. કોર્ટની પીઠે કહ્યું કે, ફિલ્મને અત્યાર સુધી સેન્સર બોર્ડથી પ્રમાણપત્ર નથી મળ્યું. કોર્ટે કહ્યું કે આ નિર્ણય ચૂંટણી આયોગે કરવાનો છે કે શું ફિલ્મ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે કે નહીં.
સોમવારનાં રોજ કોર્ટે બાયોપિકનાં પ્રદર્શન પર પ્રતિબંધ માટે દાખલ કરેલ અરજીને કોઇ આદેશ આપવાંથી ઇન્કાર કરી દીધો હતો. પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની પીઠે કહ્યું કે આ મામલામાં આવતી કાલે સુનાવણી કરવામાં આવશે અને સંભવતઃ તે કોઇ ને કોઇ આદેશ પણ પસાર કરી દેશે જો અરજીકર્ચા આ રેકોર્ડ પર લાવે કે ફિલ્મમાં એવું તે શું છે કે જે ખૂબ આપત્તિજનક છે.
પીઠે કોંગ્રેસનાં એક કાર્યકર્તાનો આ અનુરોધ ઠુકરાવી દીધો કે ફિલ્મની એક કૉપી તેઓને ઉપલબ્ધ કરાવવામાં આવે. અરજીકર્તા તરફથી વરિષ્ઠ અધિવક્તા અભિષેક મનુ સિંધવીએ જ્યારે ફિલ્મની કૉપી ઉપલબ્ધ કરાવવાનો અનુરોધ કર્યો તો પીઠે કહ્યું કે, 'અમે કોઇ વ્યક્તિને ફિલ્મની કૉપી આપવાનો નિર્દેશ કેમ કરીએ? અમે સમજી નથી શકતા કે આવો આદેશ અમે કેમ દઇએ?
આ પહેલાં આ મામલાની સુનાવણી શરૂ થતાં જ મુખ્ય જજે કહ્યું કે આ ફિલ્મને હજી સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર પણ નથી મળ્યું. આનાં પર સિંધવીએ કહ્યું કે ફિલ્મ નિર્માતા સંદીપ સિંહે નિવેદન આપ્યું કે 11 એપ્રિલનાં રોજ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે.
Supreme Court dismisses a plea seeking stay on release of Vivek Oberoi starrer biopic 'PM Narendra Modi'. The Bench says the film has not yet been issued the certificate by Censor Board. Court says it is to be decided by the EC whether the movie can violate Model Code of Conduct. pic.twitter.com/UA2pU90wfz
વિરોધ પાર્ટીઓ સતત ફિલ્મ પર સામાન્ય ચૂંટણી સુધી પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહેલ છે. જ્યાર બાદ 28 માર્ચનાં રોજ ફિલ્મમાં મુખ્ય રોલ નિભાવી રહેલ વિવેક ઓબેરૉય અને નિર્માતા સંદીપ સિંહ ચૂંટણી આયોગની ઓફિસમાં પહોંચ્યાં હતાં. ફિલ્મને લઇને ચૂંટણી આયોગે ફિલ્મ નિર્માતાઓને પહેલેથી જ નોટિસ રજૂ કરી દીધી છે. જેનાં પર જવાબ આપવા માટે 30 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.