હેશટેગની સાથે ઉશ્કેરણીજનક ટ્વીટ પર પ્રતિબંધ મુકવાવાળી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે જો MTNLપર વાંધાજનક અશ્લીલ વાતચીતો થતી હોય તો શું MTNL બંધ કરી દેવાની? એમ કહી કહ્યુ હતું કે કોર્ટ આવો આદેશ ન આપી શકે.
ઉશ્કેરણીજનક ટ્વીટ પર પ્રતિબંધ લગાવવા માટેની એક જાહેરહિતની અરજી કોર્ટે ફગાવી
કોર્ટે વકીલોની ભાડા માફીની અરજી ફગાવી
કેન્દ્રની સૂચિત સેન્ટ્રલ વિસ્ટા યોજનાને પડકારતી પિટિશન પર સુનવણી કરી કહ્યુ ...
હેશટેગની સાથે ઉશ્કેરણીજનક ટ્વીટ પર પ્રતિબંધ લગાવવા માટેની એક જાહેરહિતની અરજી પર ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) શરદ અરવિંદ બોબડેએ પીઆઈએલ પર ટિપ્પણી કરતા તેને ફગાવી દીધી હતી. તેમણે કહ્યુ હતું કે કોર્ટ આવો આદેશ કેવી રીતે આપી શકે છે. આ તો એવી વાત થઈ કે લોકો MTNL પર વાંધાજનક વાત કરી રહ્યા છે તો MTNLને જ બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવે. અમે કોઈ આદેશ ન આપી શકીએ. જે બાદ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આજે (ગુરુવારે) અનેક અરજીઓ પર સુનાવણી કરી છે. સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્રની સૂચિત સેન્ટ્રલ વિસ્ટા યોજનાને પડકારતી પિટિશન પર પણ સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે હાલમાં આ યોજના પર પ્રતિબંધ રાખવાનો પણ ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોરોના કોઈપણ કામ થવા દઈ રહ્યો નથી. આ બાબતે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. કોર્ટે કહ્યું કે આવી અરજી પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, તેથી અરજદારોએ અરજીમાં સુધારો કરવો જોઇએ. તે જ સમયે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે જો નવી સંસદ બનાવવામાં આવી રહી છે તો વિરોધ કેમ કરવો. અરજદારે કહ્યું કે સરકાર આ મામલે આગળ વધી રહી છે.
કોર્ટે, બીજી અરજીમાં, કોરોના લોકડાઉન દરમિયાન કામ બંધ રાખવાના કારણે ભાડુ માફ કરવાનો ઇનકાર કર્યો હતો. વકીલોને કોઈ રાહત મળી ન હતી. સુપ્રીમ કોર્ટના ચેમ્બરના ભાડામાં મુક્તિની માંગ, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના વકીલોની ચેમ્બર, ઓફિસના ભાડામાં છુટની માંગને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ વકીલોને કોઈ વિશેષ છૂટ આપી શકે નહીં. કોર્ટે કહ્યું કે આવતીકાલે આર્કિટેક્ટ પણ આવી માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં આવશે, એન્જિનિયરો પણ સુપ્રીમ કોર્ટમાં આવશે, ઘણા કિસ્સામાં મકાનમાલિક પણ ભાડા પર આધારીત છે. કોર્ટ વકીલોને વિશેષ કે અલગ કેટેગરીમાં મૂકી શકશે નહીં.