મરાઠા આરક્ષણ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નોટિસ પાઠવી છે. મહારાષ્ટ્ર એજ્યુકેશન અને ગવર્નમેન્ટ સર્વિસમાં મરાઠા સમુદાયને 16 ટકા આરક્ષણ આપવામાં આવ્યું છે.
મરાઠા આરક્ષણના મુદ્દા પર મરાઠા સરકારે સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. વાસ્તવમાં શુક્રવારે આ મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણ પર રોક લગાવવાની ના પાડી દીધી છે. એની સાથે જ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નોટિસ મોકલીને આરક્ષણ રેસ્ટ્રોપેક્ટિવ પ્રભાવથી લાગૂ નહીં થવાની વાત કહી છે.
Maratha Reservation case: Supreme Court refuses to stay Maratha reservation, However, SC said, 'we will hear the appeal for quashing of reservation for Maratha for admission in educational institution and government jobs' pic.twitter.com/215aECKFyk
Supreme Court also said that the Maharashtra state government's decision to grant reservation to Maratha people and Bombay High Court's verdict upholding its decision, cannot be implemented with retrospective effect. https://t.co/kM8ETaA2rV
જો કે કોર્ટે આ સમસ્યા પર બે સપ્તાહ બાદ સુનવણી કરવાની વાત કહી. તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્ર એજ્યુકેશન અને ગવર્નમેન્ટ સર્વિસમાં મરાઠા સમુદાયને 16 ટકા આરક્ષણ પ્રદાન કરવામાં આવ્યું છે. એક બિનસરકારી સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં બોમ્બે હાઇકોર્ટના આ આદેશ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જેમાં આરક્ષણને યથાવત રાખવાની વાત કહેવામાં આવી હતી. વાસ્તવમાં અરજીમાં સંવિધાન પીઠ દ્વારા નક્કી આરક્ષણ પર 50 ટકા કેપના ઉલ્લંઘનની વાત કહેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આ મામલે સુનવણી કરી રહ્યું છે.
સરકારી નોકરીમાં અનામત
જૂનમાં બોમ્બે હાઇકોર્ટે સામાજિક અને શૈક્ષણિક રૂપથી પછાત વર્ગ શ્રેણી હેઠળ મરાઠા સમુદાયને શિક્ષા અને સરકારી નોકરીઓમાં આરક્ષણની મર્યાદાને યથાવત રાખી હતી પરંતુ એને 16 ટકા સુધી ઓછી કરી દેવામાં આવી હતી.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ચે 8 જુલાઇએ બોમ્બે હાઇકોર્ટના એ નિર્ણયને પડકાર આપતી અરજી પર સુનવણી માટે સહમતિ વ્યક્ત કરી હતી, જે મરાઠાઓને નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આરક્ષણની અનુમતિ આપે છે.