કેન્દ્રની પ્રસ્તાવિત સેન્ટ્રલ વિસ્ટા યોજના (Central Vista Project) ને પડકારતી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે હાલ આ યોજના પર રોક લગાવવાથી ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોરોના કોઇ કામ થવા દઇ રહ્યો નથી. આ મામલામાં કોઇ ઉતાવળ કરવાની જરૂર નથી. કોર્ટે સાથે એમ પણ કહ્યું કે આવી જ એક અરજી પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં લંબિત છે તેથી અરજીકર્તા અરજીમાં સંશોધન કરે.
સુપ્રીમ કોર્ટે કહ્યું એક અરજી પહેલાથી જ કોર્ટમાં લંબિત છે તેથી અરજીકર્તા અરજીમાં સંશોધન કરે
આ પ્રોજેક્ટ અનુચ્છેદ 21 હેઠળ એક નાગરિકના જીવવાના અધિકારના વિસ્તૃત સંસ્કરણનું ઉલ્લંઘન : અરજીકર્તા
જ્યારે સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે જો નવી સંસદ બની રહી છે તો વિરોધ કેમ? જ્યારે અરજીકર્તાએ કહ્યું કે સરકાર આ મામલે આગળ વધી રહી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર દ્વારા વિસ્ટાના પુનર્વિકાસ યોજનાને લઇને ભૂમિ ઉપયોગમાં બદલાવને સૂચિત કરવાના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરાઇ છે.
મોદી સરકારની આ યોજના 20,000 કરોડ રૂપિયાની છે. 20, માર્ચ, 2020એ કેન્દ્રની સંસદ, રાષ્ટ્રપતિ ભવન, ઇન્ડિયા ગેટ, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક જેવી સંરચનાઓ દ્વારા ચિન્હિત લુટિયન્સ દિલ્હીના કેન્દ્રમાં લગભગ 86 એકડ ભૂમિથી સંબંધિત ભૂમિ ઉપયોગમાં બદલાવને સૂચિત કર્યું.
આવાસ અને શહેરી મામલાઓના મંત્રાલય દ્વારા જારી માર્ચ 2020ની સૂચનાને રદ્દ કરવા માટે કોર્ટથી આગ્રહ કરતા, અરજીકર્તાનો તર્ક છે કે આ નિર્ણય અનુચ્છેદ 21 હેઠળ એક નાગરિકના જીવવાના અધિકારના વિસ્તૃત સંસ્કરણનું ઉલ્લંઘન છે.
તેને એક ક્રુર પગલુ બતાવતા, સુરીનો દાવો છે કે આ લોકોને ખુબજ કિંમતી ખુલ્લી જમીન અને ગ્રીન વિસ્તારનો આનંદ લેવાથી વંચિત કરશે. સેન્ટ્રલ વિસ્ટામાં સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન, ઉત્તર અને દક્ષિણ બ્લૉકની ઇમારતો, જેવા મહત્વૂપૂર્ણ મંત્રાલયો અને ઇન્ડિયા ગેટ જેવી પ્રતિષ્ઠિત ઇમારત છે. કેન્દ્ર સરકાર એક નવું સંસદ ભવન, એક નવું આવાસીય પરિસર બનાવીને તેનો પુનર્વિકાસ કરવાના પ્રસ્તાવ કરી રહી છે જેમા વડાપ્રધાન અને ઉપરાષ્ટ્ર્પતિ સિવાય ઘણા નવા કાર્યાલય ભવન હશે.
દિલ્હી હાઇકોર્ટમાં રાજીવ શકધરની એકલ પીઠે 11 ફેબ્રુઆરીએ આદેશ આપ્યો હતો કે દિલ્હી વિકાસ ઓથોરિટી (ડીડીએ) ને ભૂમિ ઉપયોગમાં પ્રસ્તાવિત પરિવર્તનોને સૂચિત કરતા પહેલા સુપ્રીમ કોર્ટ જવુ જોઇએ. આદેશ બે અરજીઓમાં પસાર કરાયો હતો.
એક રાજીવ સુરી દ્વારા દાખલ કરાઇ હતી અને બીજી લેફ્ટિનેન્ટ કર્નલ અનુજ શ્રીવાસ્તવ દ્વારા. સુરીએ સરકાર દ્વારા પ્રસ્તાવિત પરિવર્તનોને એ આધાર પર પડકાર્યો હતો કે તેમા ભૂમિ ઉપયોગમાં બદલાવ અને વસ્તી ગીચતાના ધોરણો સામેલ છે અને આ પ્રકારના બદલાવ લાવવા માટે ડીડીએ અપેક્ષિત શક્તિની સાથે નિહિત નથી. જોકે, બાદમાં ડિવિજન બેન્ચે આદેશ પર રોક લગાવી દીધો. સુપ્રીમ કોર્ટે આખા મામલાને મોટો સાર્વજનિક હિત જોતા પોતાની પાસે સુનાવણીને લઇને રાખ્યો.