કોરોના કાળમાં બેન્કોથી વ્યાજ માફી મામલે સુપ્રીમ કોર્ટે બેન્કોને મોટી રાહત આપી છે.
કોરોનાકાળમાં બેંક લોન ઉપર વ્યાજ માફીનો મામલો
સુપ્રીમકોર્ટે દખલ કરવાનો કર્યો ઈન્કાર
સુપ્રીમકોર્ટે કહ્યું સંપૂર્ણ વ્યાજમાફી સંભવ નથી
સુપ્રીમકોર્ટે સરકારની લોન મુદતની નીતિમાં દખલગીરીનો ઈન્કાર કર્યો
સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ કેસમાં મંગળવારે એક મહત્વપૂર્ણ નિણર્ય લીધો છે. અદાલતે ચુકાદો આપ્યો કે સંપૂર્ણ વ્યાજમાફી તો આપી ન શકાય. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી બેન્કોને મોટી રાહત મળી છે જ્યારે બીજી તરફ વ્યાજ માફીની માંગ કરી રહેલા રિયલ સ્ટેટ જેવા સેક્ટરની કંપનીઓને ઝટકો લાગ્યો છે.
સુપ્રીમકોર્ટે કહ્યું અમે આર્થિક નીતિઓના નિષ્ણાંત નથી
જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમઆર શાહની બેન્ચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સાફ કહ્યું કે તે આર્થિક પોલિસીમાં દખલ ન આપી શકે. તે નક્કી ન કરી શકે કે જે તે પોલિસી યોગ્ય છે કે નહીં. કોર્ટ માત્ર એવું જોઈ શકે છે એક કોઈ પોલિસી કાયદાકીય યોગ્ય છે કે નહીં. સુપ્રીમ કોર્ટે સરકારના પક્ષને સમજતા કહ્યું કે કોરોના વાયરસ મહામારીના કારણે માત્ર કંપનીઓને જ નહીં, સરકારને પણ નુકસાન થયું છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે તે સરકાર અને રિઝર્વ બેન્ક પર દબાણ બનાવી શકે નહીં.
સુપ્રીમકોર્ટે મત આપતા કહ્યું સરકારે પૂરતો સમય આપ્યો છે
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જે સોગંદનામું આપ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે જે તે સેક્ટરમાં થાય તેટલું પેકેજ આપી દીધું છે. વર્તમાનમાં મહામારીની વચ્ચે આ સંભવ નથી કે આ સેક્ટરને વધારે રાહત આપવામાં આવે.
શું છે આ મામલો
નોંધનીય છે કે ગયા વર્ષે સરકારે દેવું આપનાર કંપનીઓને મોરેટોરિયમમાં મોટી રાહત આપી હતી. વર્ષ 2020માં માર્ચથી ઓગસ્ટની વચ્ચે મોરેટોરિયમ યોજનાનો ઘણા બધા લોકોએ લાભ લીધો હતો પણ તેમની ફરિયાદ હતી કે જે રકમ બાકી છે તેના પર બેન્કો વ્યાજ લગાવી રહી છે. જે બાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.