આધાર અને ચૂંટણી કાર્ડને જોડવાના વિવાદાસ્પદ કાયદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ તેને રદ કરવાની માગ કરી હતી. અરજીમાં સુરજેવાલાએ કાયદાને અસંવૈધાનિક અને પ્રાઈવસીના અધિકાર અને સમાનતાના અધિકારનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ મામલે કોર્ટે સોમવારે સુનાવણી કરી હતી. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી.
વિપક્ષ કરી રહ્યું છે તેનો વિરોધ
અહીં ઉલ્લેખનીય છે કે, વિપક્ષી પાર્ટીઓ તરફથી સતત તેનો વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓનું કહેવુ છે કે, હાલમાં દેશમાં આધાર વ્યવસ્થામાં કેટલીય ખામીઓ છે. જો તેને વોટર આઈડી કાર્ડ સાથે લિંક કરવામાં આવશે, તો સૌથી વધારે નુકસાન ગરીબો મતદારોને થશે. મુખ્ય ચૂંટમી આયુક્ત સુશીલ ચંદ્રાએ મે મહિનામાં કહ્યુુ હતું કે, મતદારો માટે આધાર કાર્ડની જાણકારી શેર કરવાનું સ્વૈચ્છિક હશે, પણ આવું ન કરતા લોકોને યોગ્ય કારણો બતાવવા જોઈએ.
અરજીમાં કહી છે આ વાત
રણદીપ સુરજેવાલાએ અરજીમાં કહ્યું છે કે, ઈલેક્ટ્રોનિક ચૂંટણી ઓળખ કાર્ડના ડેટાને આધાર સાથે જોડવા પર નાગરિકોની પ્રાઈવસીના મૌલિક અધિકારનું હનન થઈ જાય છે. જે સંવિધાનની વિરુદ્ધમાં છે. અરજીમાં કહેવાયુ છે કે, આધાર ડેટાને ચૂંટણી કાર્ડ સાથે લિંડ કરવાથી મતદારોની વ્યક્તિગત અને ખાનગી જાણકારી મળી રહેશે. મતદારોને હવે પ્રતિવાદી નંબર 2ની સામે પોતાની ઓળખાણ સ્થાપિત કરવા માટે આધારની સમગ્ર વિગતો આપવાની રહેશે.
કોંગ્રેસ હવે દિલ્હી હાઈકોર્ટમાં જઈ શકશે
અરજીમાં કહેવાયુ છે કે, તેમાં મતદારોની ઓળખાણના આધાર પર મતાધાકિરાથી વંચિત/ડરાવવા-ધમકાવવાની સંભાવના વધી શકે છે. કેન્દ્ર સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલા વિશે કોંગ્રેસ નારાજ છે. સતત આ સવાલ ઊભા કરે છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ હવે કોંગ્રેસ દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવશે.