સુપ્રીમ કોર્ટે લોન ધારકોની EMI મુલતવી રાખવા રિઝર્વ બેંકના આદેશને પડકારતી ત્રણ જાહેર હિતની અરજીઓ (પીઆઇએલ) નામંજૂર કરી છે. 27 માર્ચે રિઝર્વ બેંકે દ્વારા બેંકોના ઇએમઆઇ મોરેટોરિયમ મુલતવી રાખવા અંગે સૂચના આપી હતી.
EMI રદ્દ કરવાના રિઝર્વ બેંકના આદેશને પડકારવામાં આવ્યો હતો
આ મામલે ત્રણ જનહિત અરજીઓ દાખલ કરવામાં આવી હતી
સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ નામંજૂર કરી છે
શું છે મામલો
જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ એસ કે કૌલ અને જસ્ટિસ બીઆર ગવઇની બેંચે ગુરૂવારના રોજ આ અરજીઓ પર સુનાવણી શરૂ કરી છે. આ અરજીઓમાં ભારતીય રીઝર્વ બેંકની 27 માર્ચની અધિસૂચનાને પડકારવામાં આવી હતી. અધિસૂચનામાં બેંકોને જણાવામાં આવ્યું હતું કે કે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને, લોન ધારકોને ત્રણ મહિના માટે ઇએમઆઈ નહીં ભરવા અથવા ત્રણ મહિના માટે મુલતવી રાખવાની મંજૂરી આપવામાં આવે.
કોરોનાને કારણે લોકડાઉન બાદ દેશની અર્થવ્યવસ્થા પર દબાણ આવશે તેવુ નક્કી માનવામાં આવી રહ્યું છે. જેને લઇને આરબીઆઇ પણ એકશન લેતા 27 માર્ચના રોજ મોટી જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય રિર્ઝવ બેંકે કોરોનાના કારણે ટર્મ લોનની ઇએમઆઇ વસૂલી ત્રણ મહિના સુધી ટાળવાની બેંકો અને નાણાંકીય સંસ્થાઓને મંજૂરી આપી હતી.
કોરોનાના કારણે મોનેટરીંગ પોલીસીની સમીક્ષા સમય કરતાં પહેલા રજૂ કરતાં ભારતીય રિઝર્વ બેંકેના ગર્વનર શક્તિકાંત દાસે આ અંગેની જાહેરાત કરી હતી કે બેંકોને મંજૂરી આપવામાં આવી છે કે ટર્મ લોન મામલામાં ગ્રાહકોની ઇએમઆઇ વસૂલી ત્રણ મહીના સુધી ટાળી દેવામાં આવે. આ લોન વાપસી ન થવા પર બેંકોએ એનપીએ ખાતામાં ન રાખવાની છૂટ આપવામાં આવશે.