સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી ભાજપના 12 ધારાસભ્યોને એક વર્ષ માટેના સસ્પેંશનને અસંવૈધાનિક ગણાવ્યું છે અને તેને રદ કરી દીધું છે.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી ભાજપના 12 ધારાસભ્યોને એક વર્ષ માટેના સસ્પેંશનને અસંવૈધાનિક ગણાવ્યું છે અને તેને રદ કરી દીધું છે. ગત વર્ષે 6 જૂલાઈએ વિધાનસભામાં સ્પિકર સાથે અપમાનજનક અને દુર્વ્યવહાર કરવાના આરોપસર ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, એક સત્રથી વધારે સસ્પેંશન સદનના અધિકારમાં નથી અને આવું કરવું અસંવૈધાનિક છે. જસ્ટિસ એએમ ખાનવિલકરે કહ્યું કે, ધારાસભ્યોને એક વર્ષ સુધી સસ્પેન્ડ કરવા હટાવી દેવાથી પણ બદતર છે અને તેને સમગ્ર મત વિસ્તારને સજા આપવા બરાબર છે.
તેમણે કહ્યું કે, કોઈ પણ આ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં. કારણ કે, આ વિસ્તારના ધારાસભ્યો સદનમાં હાજર હશે નહીં. આ સભ્યને નહીં પણ તેના સમગ્ર મત વિસ્તારને સજા આપવા બરાબર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે એક વર્ષના સસ્પેંશનની સજાની ન્યાયિક સમીક્ષા કરશે. જો કે, મહારાષ્ટ્ર સરાકરે જવાબ દાખલ કરવા માટે થોડો સમય માગ્યો છે. જસ્ટિસ ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ માહેશ્વરીની બેંચે આ મામલે સુનાવણી કરી હતી.
કોર્ટે એવું પણ જણાવ્યું કે, સંવૈધાનિક જોગવાઈઓ અનુસાર એક મત વિસ્તારને 6 મહિનાથી વધારે પ્રતિનિધિત્વ વિહીન રાખી શકાય નહીં. કોર્ટે મહારાષ્ટ્ર સરકારની આ દલીલને ફગાવી દેતા કોર્ટે વિધાનસભા દ્વારા આપવામાં આવેલા દંડની માત્રાની તપાસ કરી શકતી નથી. જ્યારે અરજીકર્તા ભાજપ ધારાસભ્યએ કહ્યું કે, સદન દ્વારા પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. મત વિસ્તારના અધિકારોની રક્ષા કરવી જરૂરી છે. આવી રીતે સસ્પેંશન સરકારને મહત્વપૂર્ણ મુદ્દા પર બહુમત વોટ મેળવવા માટે સદનમાં શક્તિને હેરફેર કરવાની પરવાનગી આપે છે.
અરજીકર્તા ધારાસભ્યો તરફથી મહેશ જેઠમલાણી,મુકુલ રોહતગી, નીરજ કિશન કૌલ અને સિદ્ધાર્થ ભટનાગર રજૂ થયા હતા. આ અગાઉ 14 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે વિધાનસભા સચિવને નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કહેવાની જરૂર નથી કે, અરજીને પેન્ડીંગ રાખવી અરજીકર્તાના કાર્યકાળમાં કાપ સંબંધમાં સદનથથી આગ્રહ કરવાના રસ્તામાં નહીં આવે. આ એક એવો મામલો છે જેના પર સદન દ્વારા વિચાર કરી શકાય છે.