સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટોકરન્સી પર સૌથી મોટો ચુકાદો આપ્યો છે. હવે દેશની બધી બેંક ક્રિપ્ટોકરન્સી મારફતે લેણદેણ કરી શકશે. રીઝર્વ બેંકનું માનવું છે કે બીટકોઈન જેવા ક્રિપ્ટોકરન્સીનાં માધ્યમથી મની-લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ જેવા કામ કરવામાં આવે છે જેથી તેના પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હવે સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવી દેતા દરેક ભારતીય તેનો ઉપયોગ કરી શકશે.
Bitcoinનાં માધ્યમથી થઇ શકાશે લેવડ-દેવડ
ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોશિયેશન દ્વારા કરવામાં આવેલ અરજી પર સુપ્રીમ ચુકાદો
ક્રિપ્ટોકરન્સી પર નથી રીઝર્વ બેંકનું કોઈ નિયંત્રણ
ભારતીય રીઝર્વ બેંક દ્વારા વર્ષ 2018માં એક સર્ક્યુલર બહાર પાડીને ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે દરેક ભારતીય પણ Bitcoin જેવા ક્રિપ્ટોકરન્સી ખરીદી કે વેચી શકશે.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સર્ક્યુલર સામે ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોશિયેશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું કે આરબીઆઈ દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધનાં કારણે ક્રિપ્ટોકરન્સીમાં થતી માન્ય લેવડ-દેવડ પણ બંધ થઇ ગઈ છે. જવાબમાં રીઝર્વ બેંકે કહ્યું કે ક્રિપ્ટોકરન્સીનાં માધ્યમથી મની-લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ જેવા કામ કરવામાં આવે છે જેથી તેના પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ક્રિપ્ટોકરન્સી એક ડિજિટલ કરન્સી છે જે બ્લોકચેન ટેક્નિક પર આધરિત છે. આ ટેક્નિકને હેક કરવી ખૂબ મુશ્કેલ છે. તેમાં દરેક ટ્રાન્ઝેક્શનની માહિતી સંગ્રહિત રહે છે જેથી છેતરપીંડી થવાની સંભાવના ખૂબ ઓછી રહે છે. પરંતુ આ કરન્સીની અમુક ખામીઓ પણ છે. આ કરન્સી પર રીઝર્વ બેંકનો કોઈ જ નિયંત્રણ હોતો નથી.