મહારાષ્ટ્રમાં નવી સરકારનો મામલો હવે દેશની વડી અદાલત સુધી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં શિવસેના, કોંગ્રેસ અને NCP એ દેવેન્દ્ર ફડણવીસના શપથગ્રહણ વિરૂદ્ધ અરજી દાખલ કરી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આદેશને રદ્દ કરવામાં આવે. જેમાં ફડણવીસ સરકારને ભંગ કરવા માંગ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમાસાણ યથાવત
નવી સરકાર મામલે શિવસેના, NCP, કોંગ્રેસ પહોંચી સુપ્રીમ કોર્ટમાં અરજી પર આજે સુનાવણી
રાજ્યપાલના આદેશને રદ્દ કરવાની કરી માગણી
શિવસેના, કોંગ્રેસ અને NCPએ સુપ્રીમ કોર્ટમાં અરજીની સાથે 288 સભ્યની વિધાનસભામાં 154 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. અરજી કરતાઓએ સુપ્રીમ કોર્ટને બની શકે તેટલું વહેલું સંભવ થયા તો રવિવારે જ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવની ફ્લોર ટેસ્ટ કરાવવાના આદેશ આપવાની અપીલ કરી છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે 11:30 વાગે સુનાવણી થઇ શકે છે. ત્રણેય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેમાં ફડણવીસ સરકારને ભંગ કરવાની માંગ કરાઇ છે.
મહત્વનું છે કે, દેવેન્દ્ર ફડણવીસને રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. વળી, અરજીમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ પણ કરવામાં આવી હતી કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મહારાષ્ટ્રમાં એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના ગઠબંધનને આમંત્રણ આપવા આદેશ આપે.
સોમવારે દિલ્હીથી પરત ફરશે મુંબઇના રાજ્યપાલ
જો કે, દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા બાદ શનિવારે સાંજે જ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દિલ્હી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા રાજ્યપાલ સંમેલનમાં તેઓ ભાગ લેશે. હવે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સોમવારે મુંબઈ પરત ફરવાના છે.
બદલાયો રાજકીય ઘટનાક્રમ
NCP નેતા અજીત પવારના સહયોગને કારણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પદ પર ભાજપના દેવેન્દ્ર ફડણવીસે શનિવારે શપથ લીધા. આ સાથે જ અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જો કે, શરદ પવારે તેમના ભત્રીજાના આ નિર્ણયને વ્યક્તિગત ગણાવ્યો હતો. રાજભવનમાં યોજાયેલ શપથ ગ્રહણ સમારોહ વિશે લોકોને આભાસ પણ નહોતો તો કેટલાક લોકોએ તેને ગુપ્ત ઘટના ગણાવી.