દિલ્હીમાં જહાંગીરપુરીમાં એક તરફ બુલડોઝરની કડક કાર્યવાહી વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો છે.
દિલ્હીમાં બુલડોઝર પર સુપ્રીમ કોર્ટે લગાવી 'બ્રેક'
બુલડોઝરની કડક કાર્યવાહી વચ્ચે SC દ્વારા યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ
આવતી કાલે આ મામલે સુનાવણી થશે
દિલ્હીમાં જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના રોજ થયેલી હિંસા બાદ આજે ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાનું અભિયાન શરૂ કરાયું છે. ત્યારે બુલડોઝરની કડક કાર્યવાહી વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ અપાયો છે. એટલે કે હવે આજે દબાણ હટાવવાની કામગીરી નહીં થાય. આવતી કાલે આ મામલે સુનાવણી થશે.
#WATCH | Anti-encroachment drive underway at the Jahangirpuri area of Delhi which witnessed violence on April 16 during a religious procession pic.twitter.com/zIxMVccwSM
જહાંગીરપુરી હિંસામાં હનુમાન જયંતિ પર થયેલી હિંસા બાદ MCD એક્શનમાં
અત્રે તમને જણાવી દઇએ કે, દિલ્હીના જહાંગીરપુરી હિંસામાં હનુમાન જયંતિ પર થયેલી હિંસા બાદ હવે આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવાનું એલાન કરી દીધું હતું. ત્યારે સમગ્ર વિસ્તારમાં ભારે ફોર્સનો ખડકલો ખડકી દેવાયો છે. લોકોએ સવારથી જ પોતાનો સામાન હટાવવાની શરૂઆત કરી દીધી હતી. હાલ આ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો છે.
Supreme Court orders status-quo on demolition drive conducted by North Delhi Municipal Corporation in Jahangirpuri, Delhi pic.twitter.com/wr4p2R9Fto
MP બાદ હવે દિલ્હીના જહાંગીરપુરમાં બુલડોઝર ચલાવવાનું શરૂ કરી દીધું
જહાંગીરપુરી હિંસા બાદ વહીવટીતંત્ર ખૂબ જ કડક બન્યું છે. આથી, જહાંગીરપુરીમાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા આજે MCD દ્વારા બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં દિલ્હી પોલીસના ભારે પોલીસ દળ સહિત પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરી દેવાઇ છે.
North MCD conducts an anti-encroachment drive in Delhi's Jahangirpuri
These people do encroachment & also do 'goondagardi'. Some of them are also named in the riots. Action to be taken against unauthorised construction also:Naveen Tyagi, Zone Chairman,Civil Lines, NorthWest Dist pic.twitter.com/G3NsytoDRg
જહાંગીરપુરીમાં બુલડોઝર ફેરવાતા લોકો રડતા જોવા મળ્યાં
MCD એ જહાંગીરપુરીમાં હિંસાના સ્થળે ગેરકાયદેસર મિલકત અને અતિક્રમણ પર કાર્યવાહી કરી છે. જેમની મિલકતો પર કાર્યવાહી કરવામાં આવી હતી, તે લોકો રડતા જોવા મળ્યા હતાં. લોકોએ MCD ની કાર્યવાહીનો વિરોધ પણ કર્યો હતો.
For the last 15 years, my shop was here. No one raised the issue of illegality earlier, now after an incident of violence between two communities, this is happening, says a local in Jahangirpuri pic.twitter.com/ugmRgNJs0h
7 બુલડોઝર જહાંગીરપુરી પહોંચ્યા છે. જેના દ્વારા રસ્તામાં પડેલો સામાન દૂર કરવામાં આવી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લગભગ 1500 સુરક્ષાકર્મીઓ તૈનાત છે. આ કાર્યવાહીમાં મહાનગરપાલિકાના કમિશનર સહિત 100 કર્મચારીઓ પણ હાજર છે.
Bulldozer arrived at the Jahangirpuri area of Delhi which witnessed violence on April 16 during a religious procession
આ દરમિયાન MCD એ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે દિલ્હી પોલીસ પાસેથી 400 જવાનોની માંગ કરી હતી કે જેઓ કાયદો અને વ્યવસ્થા સંભાળે. રોડની બાજુમાં જે કચરો પડેલો છે તે કચરો પણ બુલડોઝર દ્વારા દૂર કરાઇ રહ્યો છે. જહાંગીરપુરી હિંસા બાદ ઉત્તર MCD અને ગૃહ મંત્રાલયના કડક પગલાં લેવાના આદેશ બાદ લોકો સવારથી જ સામાન હટાવવા આવી ગયા હતા.
#WATCH | Delhi Police take stock of the situation in Jahangirpuri which witnessed violence on April 16 during a religious procession pic.twitter.com/rHlxA62wZ6
સુરક્ષા એજન્સીઓએ કોઇ પણ પ્રકારના ઉપદ્રવથી બચવા માટે આજે તમામ અર્ધલશ્કરી દળોને છત પર તૈનાત કરી દીધા છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના કે પથ્થરમારો ન થાય. આ સાથે જ બુલડોઝરથી અતિક્રમણને હટાવતી વેળાએ જે-તે વિસ્તારમાં હિંસા ન થાય અથવા તો ગેરકાયદેસર જૂથવાદ ન થાય તે માટે આ બાબતને ધ્યાનમાં રાખીને લોકો પર નજર રાખવા માટે ડ્રોન કેમેરા પણ મંગાવવામાં આવ્યા છે.
1500થી વધારે જવાન તૈનાત
જહાંગીરપુરીમાં પોલીસને 14 ટીમમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમમાં પેરામિલિટ્રી ફોર્સની એક કંપની અને દિલ્હી પોલીસના 50 જવાન તૈનાત છે, પેરામિલિટ્રી ફોર્સ સહિત અંદાજે 1500થી પણ વધારે પોલીસકર્મીઓ હિંસાગ્રસ્ત વિસ્તારમાં જહાંગીરપુરીમાં તૈનાત કરવામાં આવ્યા છે.