સુપ્રીમ કોર્ટે બધા રાજકીય પક્ષોને લોકસભા અથવા વિધાનસભા ચૂંટણી લડનારા બધા ઉમેદવારોની ગુનાહીત મામલા અંગેની જાણકારી આપવાનો આદેશ કર્યો છે. બધા પક્ષોએ આવા ઉમેદવારોની જાણકારી 48 કલાકમાં આપી દેવાની છે. આ સિવાય એ પણ જણાવાનું રહે છે કે આ ઉમેદવારોને ચૂંટણીમાં કેમ ઉભા રાખવામાં આવ્યાં.
સુપ્રીમ કોર્ટે ગુનાહીત મામલા અંગેની જાણકારી આપવા કર્યો આદેશ
છેલ્લા 15 વર્ષમાં ગુનાહિત આંકડા ધરાવતા સાંસદોની સંખ્યામાં થયો વધારો
એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફૉર્મ્સ (ADR) દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણથી ખબર પડી કે છેલ્લા 15 વર્ષ દરમિયાન ગુનાહિત આંકડા ધરાવતાં સાંસદોની સંખ્યામાં વધારો થયો છે.
જો કે ઘણા ઉમેદવારો વિરુદ્ધ કરવામાં આવેલ ફરિયાદનું કારણ રાજકારણ પણ હોઇ શકે છે. ઉદાહરણ માટે ઉદયકુમાર SP એ કન્યાકુમારી બેઠક પરથી આપની ટીકિટ પર 2014માં લોકસભા ચૂંટણી લડી. તેમણે પોતાના એફિડેવિટમાં 382 ગુનાહિત કેસ હોવાની જાહેરાત કરી હતી.
કઇ પાર્ટીના સૌથી વધારે સાંસદ છે કંલકિત
સૌથી વધારે ગુનાહિત સાંસદોની વાત કરીએ તો જેડીયુ આ મામલે નંબર 1 છે. ત્યાર બાદ શિવસેના અને કોંગ્રેસનો નંબર છે. જેડીયુંના 16માંથી 13, શિવસેનાના 18માંથી 11, કોંગ્રેસના 52માંથી 30, BSP ના 10માંથી 5, લેફ્ટ ના 6માંથી 3, ડીએમકેના 24માંતી 11, વાઇએસઆરસીપી 22માંથી 10, ટીએમસીના 22માંથી 9, SP ના 5માંથી 2, ભાજપના 302માંથી 117, ટીઆરએસના 9માંથી 3 સાંસદ કંલકિત (દાગી-ગુનાહિત) છે. પાંચ પાર્ટી એવી છે કે જેના અડધાથી પણ વધારે ઉમેદવારે કંલકિત છે. જેમાં કોંગ્રેસ, શિવેસના અને જેડી યુ સામેલ છે.