દેશમાં કોરોના વાયરસના સંક્રમણના ખતરાની વચ્ચે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું છે કે દેશભરમાં હાજર તમામ જેલોમાં સજા કાપી રહેલા કેદીઓ જેમની સજા 7 વર્ષથી ઓછી છે તેમને પરોલ આપી દેવામાં આવે. કોર્ટે કેદીઓને 6 સપ્તાહ માટે પરોલ આપવાનું કહેવાયું છે.
દેશમાં 23 માર્ચ બપોરે 1.50 વાગ્યા સુધી 415 કેસ
7 લોકોના મોત થયા છે
સુપ્રીમ કોર્ટે કહ્યું સજા 7 વર્ષથી ઓછી છે તેમને પરોલ આપી દો
કોર્ટે દ્વારા નક્કી કરાયેલા આ નિર્ણયમાં જેલોમાં હાજર કેદીઓને પરોલ મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી (23 માર્ચ બપોરે 1.50 વાગ્યા સુધી) 415 કેસ સામે આવી ચૂક્યાં છે જ્યારે 7 લોકોના મોત થયા છે.
ઉચ્ચસ્તરીય કમિટી બનાવવાનો આદેશ
સુનાવણી બાદ સુપ્રીમે આદેશ આપતા કહ્યું કે રાજ્ય સરકારો આ મુદ્દે ઉચ્ચસ્તરીય કમિટીની રચાન કરે. આ સમિતિમાં કાયદા સચિવ, રાજ્ય લીગલ સર્વિસ ઑથોરિટીના ચૅરમેન, જેલના ડીજીને શામેલ કરવામા આવે. આ કમિટી નક્કી કરશે કે 7 વર્ષની સજા ધરાવતા મામલામાં કયા કેદીઓ અને અંડર ટ્રાયલ કેદીઓને પરોલ કે અંતરિમ જમાનત પર છોડી શકાય છે.