સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. દેવેન્દ્ર ફડણવીસની સરકારે આવતીકાલે એટલે કે બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવાનો રહેશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવામાં આવશે અને તેનું લાઈવ પ્રસારણ કરાશે. 30 કલાકમાં ઓપન બેલેટથી બહુમતી સાબિત કરવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે આપ્યો નિર્ણય
27 નવેમ્બરની સાંજે પાંચ વાગે ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા થશે
30 કલાકમાં ઓપન બેલેટથી બહુમતી સાબિત કરવાનો આદેશ
NCPના નવાબ મલિકે આપી આ પ્રતિક્રિયા
સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ અનેક નેતાઓએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપવાની શરૂ કરી છે. એનસીપીના નેતા નવાબ મલિકે ટ્વિટ કરીને કહ્યું છે કે સત્યમેવ જયતે, બીજેપીનો ખેલ ખતમ!
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. દેવેન્દ્ર ફડણવીસની સરકારે કાલે એટલે કે બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવાનો રહેશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવામાં આવશે અને તેનું લાઈવ પ્રસારણ કરાશે. કોઈ ગુપ્ત મતદાન રહેશે નહીં. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે ધારાસભ્યોને શપથ પ્રોટેમ સ્પીકર અપાવશે. 27 નવેમ્બરની સાંજે પાંચ વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટ બંધારણીય મુદ્દાઓની સુનાવણી 6 અઠવાડિયા બાદ શરૂ કરાશે.
અદાલતમાં કોણ કોણ હાજર
સુપ્રીમ કોર્ટમાં શિવસેનાની તરફથી અનિલ દેસાઈ, ગજાનન કાર્તિકર, કોંગ્રેસના મુકુલ વાસનિક, કેસી વેણુગોપાલ અને પૃથ્વીરાજ ચૌહાણ હાજર છે. આ સિવાય કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંધવી સહિત અનેક વકીલો પણ અદાલતમાં છે.
સુપ્રીમ કોર્ટના કોર્ટ નંબર 2માં મહારાષ્ટ્રને લઈને આજે નિર્ણય આપવામાં આવશે. કોંગ્રેસના નેતા અને વકીલ પણ કોર્ટ પહોંચી ચૂક્યા છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને લઈને સોમવારે પણ સુનાવણી થઈ હતી.
દેવેન્દ્ર ફડણવીસ સરકારને શપથ અપાવવાના રાજ્યપાલના નિર્ણયને લઈને શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. ગઈકાલે કોર્ટે દરેક પક્ષની દલીલો 2 કલાક સુધી સાંભળી હતી અને નિર્ણય આજ પર મોકૂફ રાખ્યો હતો. આ સમયે મુખ્યમંત્રી ફડણવીસ અને ઉપમુખ્યમંત્રી અજિત પવારે રાહતના શ્વાસ લીધા હતા.
કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ કરી હતી ઉગ્ર દલીલ
કોંગ્રેસ એનસીપી અને શિવસેનાના વકીલોમાં કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ સોમવારે બહુમત પરીક્ષણની માંગ કરી. બીજેપી ધારાસભ્યોની તરફથી વકીલ મુકુલ રોહતગી અને ગર્વનર ઓફિસની તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વિરોધ કર્યો કે બહુમત પરીક્ષણને માટે સમય નક્કી કરવો રાજ્યપાલના અધિકાર ક્ષેત્રમાં આવે છે. સિંઘવીએ કહ્યું કે અમે ફ્લોર ટેસ્ટની માંગ કરી રહ્યા છીએ. જેની પર જસ્ટિસ રમનાએ કહ્યું કે અમને ખબર છે કે અમારે શું આદેશ આપવાનો છે.
રાજ્યપાલે ફ્લોર ટેસ્ટને માટે 14 દિવસનો સમય આપ્યો
મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે રાજ્યપાલે ફ્લોર ટેસ્ટને માટે 14 દિવસનો સમય આપ્યો છે, તેઓએ કહ્યું કે પ્રોટેમ સ્પીકરની પ્રક્રિયા ચાલુ છે પરંતુ વિપક્ષ પ્રોટેમ સ્પીકર પાસે જ કામ કરાવવા ઈચ્છે છે. મુકુલ રોહતગીએ કહ્યું છે કે આવનારા 7 દિવસમાં ફ્લોર ટેસ્ટ થઈ શકશે નહીં. કાલે પણ ફ્લોર ટેસ્ટનો ઓર્ડર આપવામાં ન આવે.
હું જ એનસીપી છું અને હું જ નેતા છુંઃ મનિંદર સિંહ
અજિત પવારની તરફથી પક્ષ રાખી રહેલા છે મનિંદર સિંહે કહ્યું કે હું જ એનસીપી છું અને હું જ નેતા છું. તુષાર મહેતાએ કહ્યું કે રાજ્યપાલે એ પણ જોવાનું રહેશે કે કોણ સ્થાયી સરકાર આપશે? અજિત પવારના વકીલે કહ્યું કે મેં જે લિસ્ટ આપ્યું હતું તે સાચું છે. જે પણ હોય નિર્ણય આવવો જોઈએ. પછી કે કોર્ટથી આવે કે રાજયપાલ તરફથી આવે.
કપિલ સિબ્બલે કોર્ટમા કરી આ દલીલ
સુપ્રીમ કોર્ટમાં હાલમાં ખૂબ જ ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. તુષાર મહેતાએ જ્યાં એક આથી ટીમ ગાયબ થવાનો દાવો કર્યો છે તેની પર કપિલ સિબ્બલે કહ્યું છે કે ફક્ત ઘોડેસવાર ભાગ્યો છે. ઘોડો ત્યાંનો ત્યાં જ છે. મુકુલ રોહતગીએ કહ્યું કે ધારાસભ્યોને હોટલમાં બંધ કરી દેવાયા છે. નિર્ણય જલ્દી આપવામાં આવે. તેઓએ કહ્યું કે જો 24 કલાક કે 48 કલાકમાં નિર્ણય આવે તો કોને આપશે. કોર્ટની વ્યવસ્થા સ્પીકર જોશે. કપિલ સિબ્બલે કહ્યું કે 22મીની રાતે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી તેમાં કોંગ્રેસ અનેસીપી અને શિવસેનાએ સરકાર બનાવવાની વાત કરી હતી. દરેકે કહ્યું કે ઉદ્ધવ સીએમ હશે પણ સવારે 5 વાગે જ ફડણવીસ સીએમ બની ગયા. તેઓએ કહ્યું કે એવી કઈ ઇમરજન્સી હતી કે સવારે સવા પાંચ વાગ્યાની આસપાસ રાષ્ટ્રપતિ શાસન હટાવવામાં આવ્યું અને શપથ પણ લેવડાવવામાં આવ્યા. ઈમરજન્સીનો ખુલાસો થવો જોઈએ.