નૂપુર શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં ટિપ્પણી કરી હતી, જો કે, હવે આ ટિપ્પણીને પાછી ખેંચવા માટે વધુ એક અરજી દાખલ કરવામા આવી છે.
નૂપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં કરી હતી આ મામલે અરજી
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન આકરા શબ્દોમાં કરી ટિપ્પણી
વડી અદાલતમાં વધુ એક અરજી દાખલ થઈ
સામાજિક કાર્યકર્તા અજય ગૌતમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં ગૌતમે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન નૂપુર શર્મા માટે કરવામાં આવેલી ટિપ્પણીને પાછી ખેંચવા માટે માગ કરી છે. સીજેઆઈને મોકલવામાં આવેલી અરજીમાં કહેવાયુ છે કે, તેનાથી નૂપુરની જાનને ખતરો છે. સુપ્રીમ કોર્ટે આકરા તેવરમાં ટિપ્પણી કરતા કહ્યું હતું કે, નૂપુર શર્માએ ટીવી પર આવીને દેશ સામે જાહેરમાં માફી માગવી જોઈએ. ઉદયપુરની ઘટના માટે પણ તેમનું નિવેદન જવાબદાર છે.
શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં નૂપુર શર્મા તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી થઈ હતી. જેમાં માગ કરવામાં આવી હતી કે, તેના વિરુદ્ધ દેશના અલગ અલગ ભાગમાં ફરિયાદો નોંધાયેલી છે. કારણે કે તેના જીવને ખતરો છે, એટલા માટે તમામ કેસ દિલ્હી ટ્રાંસફર કરવામાં આવે. પણ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, પહેલા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવી જોઈએ.
ફેયર ટ્રાયલનો મોકો મળે
હવે સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરવામા આવી છે. સામાજિક કાર્યકર્તા અજય ગૌતમ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં માગ કરવામાં આવી છે કે નૂપુર શર્માના કેસમાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કરેલી ટિપ્પણી પાછી લેવી જોઈએ. અરજીમાં તેની પાછળ તર્ક પણ આપવામાં આવ્યો છે કે તેનાથી નૂપુરના જીવને ખતરો છે. તેને ફેયર ટ્રાયલનો મોકો મળવો જોઈએ.
મોહમ્મદ પયંગબરની વિરુદ્ધ કથિત ટિપ્પણીને લઈને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ભાજપની પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી છે કે, તેમની વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં જેટલા પણ પણ કેસ નોંધાયા છે. તે તમામને દિલ્હીમાં ટ્રાન્સફર કરવામાં આવે. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, ટીવી પર આવીને તેઓ દેશની જનતાથી માફી માંગે.
દેશમાં આજે જે પણ થઈ રહ્યુ છે, તેના માટે નૂપુર શર્મા જવાબદાર છે
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, દેશમાં આજે જે પણ થઈ રહ્યુ છે, તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. મોહંમદ પયંગબરને લઈને કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈને સુપ્રીમ કોર્ટે નુપુર શર્મા પર કડક વલણ દાખવ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, નુપુર શર્માના નિવેદનથી દેશભરના લોકોની ભાવના ભડકી છે. તેના માટે તેઓએ માફી માંગવી જોઈએ. કોર્ટે કહ્યુ કે, જે કંઈ પણ થયુ તેના માટે નુપુર શર્મા જવાબદાર છે.
કોર્ટે નૂપુર શર્માને કહ્યું કે, ઉદયપુરની ઘટના તેમના લીધે જ થઈ
કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે, નૂપુર શર્મા દ્વારા પયંગબર મોહમ્મદના કરવામાં આવેલી ટિપ્પણી મામલે બીજેપીથી સસ્પેન્ડ કરવામાં આવેલા નૂપુર શર્માને સુપ્રમી કોર્ટે ફીટકાર વરસાવતાં જણાવ્યું કે, નૂપુર શર્માને પૂરા દેશ સામે માફી માંગવી જોઈએ. આ સાથે કોર્ટે કહ્યું કે, ઉદયપુરની ઘટના તેમના લીધે જ થઈ છે.
તાજેતરમાં ટીવી ડિબેટમાં પયંગબર મોહમ્મદ વિરૂદ્ધ એક વિવાદીત ટિપ્પણી કરી
તમને જણાવી દઈએ કે, નૂપુર શર્મા બીજેપીના પ્રવક્તા રહી ચૂક્યાં છે. તેમણે હાલમાં જ એક ટીવી ડિબેટમાં પયંગબર મોહમ્મદ વિરૂદ્ધ એક વિવાદીત ટિપ્પણી કરી હતી. જેનો દેશભરમાં ઘણો વિરોધ કરવામાં આવ્યો છે. આ વિરોધ કુવૈત, યુએઈ અને કતર સહિત તમામ મુસ્લિમ દેશોએ તેમના આ નિવેદનની આલોચના કપરી છે. જે બાદ નૂપુર શર્માને પાર્ટીમાંથી નિલંબિત કરી દેવામાં આવ્યાં
નૂપુર શર્માની પયંગબર મોહમ્મદની ટિપ્પણી દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન થયું હતું
નૂપુર શર્માની પયંગબર મોહમ્મદની ટિપ્પણી પર લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં તેમની વિરૂદ્ઘ એફઆઈઆર પણ નોધાવવામાં આવી છે. નૂપુર શર્માએ તમામ મામલાઓ દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.