સુપ્રીમ કોર્ટ દ્વારા ગુનાઈત ઇતિહાસ ધરાવતા સાંસદો અને વિધાયકો વિરુદ્ધ ચાલતા કેસોને લઈને મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો.
આજે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપતા જણાવ્યું હતું કે હાઇકોર્ટની પરવાનગી વગર સાંસદો અને વિધાયકો વિરુદ્ધ અપરાધોના કેસ પાંચ નહીં ખેંચવામાં આવે. કોર્ટે જણાવ્યું હતું કે રાજ્ય સરકારો જે ટે સંબંધિત મામલે હાઇકોર્ટની પરવાનગી વિના કેસ પાછો નહીં ખેંચી શકે. હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં જ કેરળના એક કેસમાં સુપ્રીમ કોર્ટના જજમેંટ પર આધારિત ચુકાદો આપશે. કોર્ટે કહ્યું હતું કે તમામ હાઇકોર્ટનાં રજીસ્ટાર જર્નલ પોતાના ચીફ જસ્ટિસને સાંસદો અને વિધાયકો વિરુદ્ધ ચાલતા તમામ કેસની માહિતી આપે. સાંસદો અને વિધાયકો વિરુદ્ધ ગુનાની ટ્રાયલ જલ્દી પતાવવાની અને તેનું ધ્યાન રાખવા માટે સુપ્રીમ કોર્ટની સ્પેશ્યલ બેચ બેસાડવામાં આવશે.
સાંસદો અને વિધાયકોની વિરુદ્ધમાં ચાલતા કેસ પર સ્ટેટ્સ રિપોર્ટ દાખલ ન કરવા પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે નારાજગી પણ દર્શાવી હતી. ચીફ જસ્ટિસ એન. વી. રમન્નાએ કહ્યું હતું કે અમે શરૂઆતથી જ કેન્દ્રને આગ્રહ કર્યો હતો કે એ સાંસદો અને વિધાયકોની સામે ચાલતા કેસોની બાબતમાં ગંભીર થઈ જાઓ. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી કોઈ પગલા લેવામાં ન્હોતા આવ્યા. કોઈ પણ પ્રકારની પ્રગતિ જોવા મળી નહીં.
ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનાં સ્ટેટ્સ રિપોર્ટ પેપરમાં છપાવા બાબતે પણ તેમનર નારાજગી દર્શાવી હતી. ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનાં રિપોર્ટમાં આરોપીઓની સૂચિ પણ હતી. સુપ્રીમ કોર્ટે સીબીઆઇને સ્ટેટ્સ રિપોર્ટ દાખલ કરવા માટે આ છેલ્લી તક આપી હતી. કોર્ટે બે અઠવાડિયાના સમયની અંદર અંદર રિપોર્ટ દાખલ કરવા માટે કહ્યું હતું.