દિલ્હી: ભારતની વડી અદાવતે રાજ્યસભાની આગામી ચૂંટણીમાં નોટા વિકલ્પની અનુમતિ આપવાનો ઇન્કાર કર્યો છે. ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ દીપક મિશ્રા ન્યાયમૂર્તિ એએમ ખાનવીલકર અને ન્યાયમૂર્તિ ડી.વાઇ ચંદ્રચૂડની પીઠે રાજ્યસભાના મતપત્રોમાં નોટાનો વિકલ્પ આપવાની ના પાડી છે અને આયોગની અધિસૂચનાને પણ રદ કરી છે.
ઉલ્લેખનીય છે કે વડી અદાલતે આયોગની અધિસૂચના સામે પણ સવાલ કર્યો હતો કે નોટા સીધો જ ચૂંટણીમાં સામાન્ય મતદાતાઓના ઉપયોગ માટે બનાવવામાં આવેલ છે.
આ નિર્ણય શૈલેષ મનુભાઇ પરમારની યાચિકા પર લેવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે ગત રાજ્યસભાની ચૂંટણીમાં તેઓ ગુજરાતની વિધાનસભામાં કોંગ્રેસના મુખ્ય સચેતક હતા અને પાર્ટીએ સાંસદ અહેમદ પટેલને ઉતાર્યા હતા.
તો વડી અદાલતે કહ્યું કે નોટાની શરૂઆત કરીને ચૂંટણી આયોગ મતદાન નહીં કરવા દેવાને પ્રાધાન્ય આપી રહ્યું છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસના નેતાએ કહ્યું કે રાજ્યસભાની ચૂંટણીમાં જો નોટાને મંજૂરી આપવામાં આવે તો "ખરીદી અને ભ્રષ્ટાચાર"માં વધારો થશે.