સુપ્રીમ કોર્ટને આગામી કેટલાંક દિવસોની અંદર નવા જજ મળવાની આશા છે. જસ્ટિસ અભય મનોહર સપ્રેનાં રિટાયર થવા અને જજોનાં નવા પદની રચના કર્યા બાદ હવે આશા એ છે કે ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટમાં ચાર નવા જજની નિયુક્તિ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 4 નવા જજોનાં નામની ભલામણ કેન્દ્ર સરકારની પાસે મોકલી દીધી છે અને હવે આની પર કેન્દ્ર સરકારે નિર્ણય કરવાનો છે.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે પોતાની મીટિંગમાં હિમાચલ પ્રદેશ હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ રામ સુબ્રમણ્યન, પંજાબ અને હરિયાણા હાઇકોર્ટનાં જસ્ટિસ કૃષ્ણ મુરારી, રાજસ્થાન હાઇકોર્ટનાં આર રવિન્દ્ર ભટ્ટ અને કેરલ હાઇકોર્ટથી હૃષિકેશ રૉયનાં નામની પણ ભલામણ સરકારને કરવામાં આવી છે. કાયદા અને ન્યાય મંત્રાલયનાં સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, આગામી બે-ત્રણ દિવસોમાં જ સરકાર આ મામલે નિર્ણય લઇને સુપ્રીમ કોર્ટ કોલેજિયમને જાણકારી આપી દેશે. જસ્ટિસ એએમ સપ્રે 27 ઓગસ્ટનાં રોજ રિટાયર થયાં.
સુપ્રીમ કોર્ટમાં હશે 34 જજ
આ પહેલા આ મહીનાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 31થી વધારીને 34 કરવાનાં બિલ પર હસ્તાક્ષર કર્યા હતાં. રાષ્ટ્રપતિ કોવિંદનાં હસ્તાક્ષર બાદ આ સંબંધમાં 12 ઓગસ્ટનાં રોજ રાજપત્ર પણ રજૂ કરી દેવામાં આવ્યું. હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત કુલ જજોની સંખ્યા 34 થશે.
સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ સંખ્યા 10 ટકા વધારવાનાં બિલને સંસદે છેલ્લાં દિવસોમાં આ બિલ પસાર કરી દીધું હતું. આ બિલમાં જો કે જજોની વધેલી સંખ્યા અનુસાર, સરકારી ખજાનાથી ધન ફાળવવાનું કરાવવાનું પણ હતું, આ કારણ નાણાંબિલનાં રૂપમાં સંસદનાં બંને ગૃહોમાંથી પાસ કરાવવું પડ્યું. બંને ગૃહોમાંથી પસાર થયા બાદ બિલને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું હતું.
આ બિલ અનુસાર, 3 વધારાના ન્યાયાધીશોની પુન: સ્થાપના બાદ રાજકોષ પર વાર્ષિક 6 કરોડ 81 લાખ 54 હજાર 528 રૂપિયાનો બોઝ વધશે. મુખ્ય જજ રંજન ગોગોઇએ કેન્દ્ર સરકારને મોકલેલા પત્રમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ્સ સહિત તમામ કોર્ટમાં કેસનાં સતત વધી રહેલા બોઝને ઓછો કરવા માટે જજોની સંખ્યા વધારવાનો આગ્રહ કર્યો હતો. ત્યાર બાદ સરકારે જજોની કુલ સંખ્યામાં 10 ટકા વૃદ્ધિને મંજૂરી આપી હતી.