બુધવારે આ સુનાવણીનો 31મો દિવસ છે અને મુસ્લિમ પક્ષ તરફથી દલીલો રાખવામાં આવી રહી છે. બુધવારે સુનાવણી શરૂ થઇ તો મુસ્લિમ પક્ષ તરફથી મંગળવારે આપવામાં આવેલા નિવેદન પર યૂ-ટર્ન લેવામાં આવ્યો. ત્યારબાદ ASIની તરફથી કોર્ટમાં પક્ષ રાખવામાં આવ્યો હતો.
SCમાં અયોધ્યા કેસની સુનાવણીનો 31મો દિવસ
રામચબૂતરા પર મુસ્લિમ પક્ષે લીધો યૂ ટર્ન
સુપ્રીમ કોર્ટે રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદની સુનાવણી શરૂ થઇ ગઇ છે. બુધવારે આ સુનાવણીનો 31મો દિવસ છે અને મુસ્લિમ પક્ષ તરફથી દલીલો કરવામાં આવી રહી છે. બુધવારે સુનાવણી શરૂ થઇ તો મુસ્લિમ પક્ષ તરફથી મંગળવારે આપવામાં આવેલા નિવેદન પર યૂ ટર્ન લઇ લેવામાં આવ્યો. મંગળવારે મુસ્લિમ પક્ષ તરફથી જફરયાબ જિલાનીએ પોતાનો પક્ષ રાખવાનું શરૂ કર્યું હતું, ત્યારબાદ ASIની તરફથી કોર્ટમાં પક્ષ રાખવામાં આવ્યો હતો.
ASIના રિપોર્ટ પર પ્રશ્ન ઊઠાવતી દલીલ હવે પહેલી અપીલમાં સાંભળવાથી સંવિધાન પીઠે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ કહ્યું કે ASI રિપોર્ટને લઇને જે આપત્તિ તમે અહીંયા ઊઠાવી રહ્યા છો એ તમે ટ્રાયલ દરમિયાન આ વાતો કહી નહતી. આ મુદ્દે તમારી દલીલો પણ જોરદાર નથી કારણ કે કોર્ટ આવા મુદ્દા પર જ્યારે વિશેષજ્ઞોની કોઇ કમિટી બનાવે છે તો એમાં કોઇ પણ ખામી અથવા ભૂલ હોય તો એ માટે જણાવે.
ચીફ જસ્ટિસે કહ્યું કે આ રિપોર્ટને લઇને એ સમયે આવું કંઇ થયું નહતું. જો કે સીપીસીના નિયમ 26 પ્રમાણે પણ અમે અહીંયા એટલે કે પહેલી અપીલમાં સાંભળી નહીં શકીએ. મુસ્લિમ પક્ષકારો તરફથી ASI ના રિપોર્ટ પર મીનાક્ષી અરોરા એ આપત્તિ વ્યક્ત કરી રહી હતી જે ટ્રાયલ દરમિયાન કોર્ટના સંજ્ઞાનમાં લાવવામાં આવી નહતી. CJI રંજન ગોગાઇએ કહ્યું રે પુરાતત્વ વિભાગના અધિકારીઓએ રિપોર્ટ કોર્ટ કમિશ્નર તરીકે પ્રક્રિ.ાના અનુરૂપ હતી, તમારી કોઇ આપત્તિઓ વ્યાજબી નથી, કારણ કે પહેલી અપીલમાં તમે આપત્તિ નહતી વ્યક્ત કરી.
જફરયાબ જિલાનીએ સુપ્રીમ કોર્ટમાં હવેનત્યાંગની યાત્રાના વૃતાંત જણાવતા વિક્રમાદિત્યના બનાવેલા મંદિર અને બૌદ્ધ મઠ સ્મારકોનું અયોધ્યામાં હોવાનો ઉલ્લેખ કર્યો. મંદિરોના આ શહેરોમાં તમામ મંદિરો હિંદુઓના નહતા. આ દરમિયાન જિલાનીએ 1862ના એક રિપોર્ટનો હવાલો આપ્યો જેમાં જન્મસ્થાનને એક અલગ મંદિર જણાવવામાં આવ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રામકોટ ભગવાન રામનું જન્મસ્થાન છે.
એની પર જસ્ટિસ બોબડેએ કહ્યું કે એમના ગજેટિયરમાં કહેવામાં આવ્યું છે કે રામચબૂતરો જ રામનું જન્મસ્થાન છે. જે કેન્દ્રીય ગુંબદથી 40 થી 50 ફીટ દૂર છે. જિલાનીએ જવાબ આપ્યો કે આ એમનો વિશ્વાસ છે અમારો નહીં.
મુસ્લિમ પક્ષ તરફથી જફરયાબ જિલાનીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે એ રામચબૂતરાને ભગવાન રામનું જન્મસ્થાન માનતા નથી. આ અમે સ્વીકાર કર્યો નથી પરંતુ હિંદુઓનો વિશ્વાસ છે. અમે માત્ર 1886માં આપવામાં આવેલ કોર્ટનો આદેશ તમારી સામે મૂક્યો હતો.
સુનાવણી દરમિયાન સુન્ની વક્ફ બોર્ડે કહ્યું કે અમારું પણ એ સ્ટેન્ડ છે જે રાજીવ ધવન તરફથી રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે રાજીવ ધવનનું કહેવું છે કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, પરંતુ કહ્યું એનો જવાબ એમની પાસે નથી.
મંગળવારે શું કહેવામાં આવ્યું હતું?
તમને જણાવી દઇએ કે મંગળવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષે સ્વીકાર કર્યો હતો કે રામચબૂતરો જ રામનું જન્મસ્થાન છે. સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ પર 30મા દિવસે સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષે સ્વીકાર્યું હતું કે રામ ચબૂતરો જ જન્મસ્થાન છે કારણ કે હિંદુ દાવેદાર પણ વર્ષોથી એની પર વિશ્વાસ કરી રહ્યા છે.
મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે આ મામલે 1885માં ડિસ્ટ્રીક્ટ જજનો આદેશ છે હિંદુ રામ ચબૂતરાને જન્મસ્થાન માને છે. મુસ્લિમ પક્ષકારોએ કહ્યું કે જ્યારે કોર્ટનો આદેશ છે તો અમે એનાથી અલગ કેલી રીતો હોઇ શકીએ?
બુધવારે આ સુનાવણીનો 31મો દિવસ છે અને મુસ્લિમ પક્ષ તરફથી દલીલો રાખવામાં આવી રહી છે. બુધવારે સુનાવણી શરૂ થઇ તો મુસ્લિમ પક્ષ તરફથી મંગળવારે આપવામાં આવેલા નિવેદન પર યૂ ટર્ન લેવામાં આવ્યો.