દેશભરમાં પત્રકારો વિરુદ્ધ રાજદ્રોહના કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું, પોલીસે IPCની કલમ 124 ધ્યાન રાખવુ જોઈએ, વિનોદ દુઆ પર રાજદ્રોહનો કેસ રદ કર્યો
પત્રકારો પર રાજદ્રોહના કેસ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે પત્રકારો પર રાજદ્રોહ કેસને લઇ વ્યક્ત કરી ચિંતા
સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કેસને લઇ પોલીસને કરી સાવચેત
સુપ્રીમ કોર્ટે દેશમાં પત્રકારો સામે દાખલ થનાર રાજદ્રોહના કેસને લઇ પોલીસને ટિપ્પણી કરી છે. સાથે સાથે કોર્ટે ચિંતા પણ વ્યક્ત કરી છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે કેસ દાખલ કરતા પહેલા પોલીસે IPCની કલમ 124 Aને ધ્યાન રાખવું જોઇએ. એટલું જ નહીં કોર્ટે વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆ પર શિમલામાં દાખલ થયેલા રાજદ્રોહના કેસને રદ કર્યો છે. વિનોદ દુઆ સામે જૂન 2020માં હિમાચલ પ્રદેશમાં એક ભાજપના નેતાએ FIR નોંધાવી હતી. દુઆનું કહેવું છે કે તેમણે યુટ્યૂબ પર સરકારે કોઇ પણ તૈયારી વિના લોકડાઉન લગાવ્યું તેને લઇ ટિપ્પણી કરાવી હતી. જેને લઇ વિનોદ દુઆને હેરાન કરવા માટે ભાજપના નેતાએ ખોટી રાજદ્રોહની ફરિયાદ નોંધાવી હોવાનો દાવો કર્યો છે.