ભારત 26 મી જાન્યુઆરીના દિવસે Republic Day 2022 ઉજવવા જઈ રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટના વકીલોને ધમકીભર્યા ફોન આવવાની બીજી ઘટના બની હતી.
સુપ્રીમ કોર્ટના વકીલોને આવ્યો થ્રેટ કોલ
ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં કાશ્મીરનો ઝંડો ફરકાવવા
ઈંડિયન મુઝાહિદીનના સભ્ય હોવાનો કોલરનો દાવો
આ કોલ સુપ્રીમ કોર્ટના કેટલાય વકીલો પાસે આવ્યો છે. કોલરે પોતાની જાતને મુઝાહિદીન હોવાનો દાવો પણ કર્યો છે.
સુપ્રીમ કોર્ટના વકીલોને આવ્યો ફોન
સુપ્રીમ કોર્ટના વકીલોને સોમવારે સવારે ફરી એક વાર અજાણ્યા નંબર પરથી ઑટોમેટેડ કૉલ આવ્યો હતો. તેમાં કહેવાયું હતું કે, ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં કાશ્મીરનો ઝંડો ફરકાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટના અમુક એડવોકેટ ઓન રેકોર્ડને કરવામાં આવેલા કૉલમાં કૉલરે પોતાની જાતને ઈંડિયન મુઝાહિદીનના સભ્ય હોવાનો દાવો કર્યો છે. તેણે કહ્યું કે, કાશ્મીરમાંથી કલમ 370ને હટાવવા માટે સુપ્રીમ કોર્ટ પણ એટલું જ જવાબદાર છે, જેટલી મોદી સરકાર.
ઈંડિયન મુઝાહિદીનના સભ્ય હોવાનો દાવો
ઉલ્લેખનીય છે કે કોલરે પોતે ઈંડિયન મુઝાહિદીનના સભ્ય હોવાનો દાવો કર્યો છે. જે એક આતંકવાદી સંગઠન છે અને તેની ભારતમાં અગાઉ અનેક આતંકી પ્રવૃત્તિમાં સક્રિય સાંઠગાંઠ જોવા મળી હતી.
અગાઉ સિખ ફોર જસ્ટિસ' ના સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા કોલ
આપને જણાવી દઈએ તે, આ અગાઉ પણ સુપ્રીમ કોર્ટના વકીલોને અજાણ્યા નંબરો પરથી કૉલ આવ્યા હતાં. આ મહિનાની શરૂઆતમાં વકીલોને યુનાઈટેડ કિંગડમ અને કેનેડામાં અજાણ્યા નંબરો પરથી કૉલ આવ્યા હતાં. જેમાં પંજાબના હુસૈનવાલા ફ્લાઈઓવર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા ચૂકની જવાબદારી લીધી હતી. તે સમયે કૉલરે 'સિખ ફોર જસ્ટિસ' ના સભ્યો હોવાનો દાવો કર્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને એક બિન સરકારી સંગઠન 'લોયર્સ વૉયસ' દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણીથી દૂર રહેવાની ચેતવણી પણ આપી દીધી હતી. 'લોયર્સ વોયસ' પીએમની સુરક્ષા ભંગની તપાસ કરવાની માગ કરી હતી.