રાજ્યભરમાં સરદાર સરોવર ડેમની જળસપાટી 138 ફૂટને વળોટી ગઈ તેનો ઉત્સવ ઉજવાઈ ગયો ત્યારે સુપ્રીમે જળસ્તર વધવાના મુદ્દે કેન્દ્ર સરકાર સહિત ત્રણ રાજ્ય સરકારને નોટીસ ફટકારી છે.
સરદાર સરોવર ડેમથી 4 રાજ્ય ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને લાભ મળે છે
સુપ્રીમ કોર્ટે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરકારને પણ નોટિસ ફટકારી
26 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે
નર્મદા ડેમની જળસપાટી વધારવાના કારણે કેટલાક ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતુ આ અંગે ગુજરાત સિવાય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને નર્મદા કંટ્રોલ ઓથોરિટીને પણ સુપ્રીમ કોર્ટે નોટીસ ફટકારી છે.
સુપ્રીમે કોને કોને નોટીસ મોકલી
આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરકારને પણ નોટિસ ફટકારી છે. સાથે જ નર્મદા કંટ્રોલ ઓથોરિટી ને પણ સુપ્રીમ કોર્ટે નોટિસ આપી છે.
ક્યારે થશે સુનાવણી
આ મામલે 26 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે.
કોણે કરી હતી અરજી
ડેમનું જળસ્તર વધવાના કારણે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. નર્મદા બચાઓ આંદોલનથી જોડાયેલા સંગઠનોએ અરજી દાખલ કરતા કહ્યુ હતુ કે, જો નર્મદાનું જળસ્તર વધશે તો મધ્યપ્રદેશના 178 ગામમાં પાણી ભરાશે. હાલમાં નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસિક 138 મીટરે પહોંચી છે
નર્મદા કંટ્રોલ ઓથોરિટી કોણ છે
નર્મદા કંટ્રોલ ઓથોરિટી આ ચાર રાજ્યો વચ્ચે નર્મદાનાં પાણી, વીજઉત્પાદન સહિતની બાબતો અંગે મધ્યસ્થી કરતી બૉડી છે. નર્મદા વૉટર ડિસ્પ્યૂટ ટ્રિબ્યૂનલ(NCA)ના આખરી નિર્ણયો અને હુકમોના અમલીકરણ માટે નર્મદા કંટ્રોલ ઑથોરિટીની રચના કરવામાં આવી હતી. 20 ડિસેમ્બર 1980થી નર્મદા કંટ્રોલ ઓથોરિટી કાર્યરત છે. NCAનું વડું મથક મધ્યપ્રદેશના ઇંદૌરમાં આવેલું છે.
4 રાજ્યોને ફાયદો
સરદાર સરોવર ડેમથી 4 રાજ્ય ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને લાભ મળે છે. 18.45 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે જેમાં ગુજરાતને સૌથી વધુ લાભ મળે છે.
ગુજરાતમાં સિંચાઈનો સૌથી વધુ લાભ
ગુજરાતના 15 જિલ્લાના 3137 ગામની 18.45 લાખ હેક્ટર જમીનની સિંચાઈનું પાણી આ ડેમ દ્વ્રારા મળી રહે છે.
સૌથી વધુ વીજળી મધ્યપ્રદેશને મળે છે
વીજળીનો સૌથી મોટો લાભ 57 ટકા હિસ્સો મધ્યપ્રદેશને મળે છે, જ્યારે મહારાષ્ટ્રને 27 ટકા, ગુજરાતને 16 ટકા લાભ મળે છે જ્યારે રાજસ્થાનને વીજળી નથી મળતી તેને ફક્ત પાણી જ મળે છે.
રૂા. 65000 કરોડને ખર્ચે બન્યો ડેમ
બંધમાં કુલ 30 દરવાજા થે. આ બધાજ દરવાજાનું વજન 450 ટન છે. 86.20 લાખ ક્યુબિક મીટર કોંક્રિટનો ઉપયોગ કરીને બંધ બનાવાયો છે. શરૂઆતી બજેટ માત્ર 93 કરોડ હતુ જે 65000 કરોડે પહોંચી ગયુ હતુ.
વિવાદ
સરાદરસરોવર ડેમનો 1980થી જ વિરોધ થઈ રહ્યો છે. 1995માં સામાજીક કાર્યકર મેધા પાટકરે નર્મદા બચાવો આંદોલન કર્યુ હતુ. જેને પગલે 1995માં બંધનું બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતુ
સરદાર સરોવર ડેમની ઐતિહાસીક તવારીખ
1945માં સરદાર પટેલે બંધ માટે પહેલ કરી
5 એપ્રિલ 1961માં દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ પાયો નાંખ્યો
1969માં નર્મદા વોટર ડિસ્પ્યૂટ ટ્રિબ્યૂનલની સ્થાપના થઈ
1979માં 10 વર્ષની મથામળ બાદ ટ્રિબ્યૂનલે ચુકાદો આપ્યો કે રાજ્યો વચ્ચે કેવી રીતે પાણી અને વીજળી વહેંચાશે
1987માં લોકોના પુનર્વસનના મુદ્દે બાંધકામ ફરી શરૂ થયુ
1995માં સુપ્રિમ દ્વારા અટકાવવામાં આવ્યુ
1998માં 85 મીટરની ઊંચાઈ સુધીની પરવાનગી મળી
2000-01માં સુપ્રીમે બંધની ઊંચાઈ ઘટાડીને 110.64 મીટર કરવાની શરતી બાંધકામની મંજૂરી આપી
2006માં ડેમની ઊંચાઈ વધારીને 121.92 અને 138.90 મીટર કરવાની પરવાનગી આપી દેવાઈ
સરદારસરોવર ડેમને બનતા 56 વર્ષ લાગ્યા.
17 સપ્ટેમ્બ 2017ના રોજ બંધ ખુલ્લો મુકાયો