વર્ષ 2007માં ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં થયેલી કોમી હિંસા મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ દર્શાવતા CM યોગી આદિત્યનાથ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટને કોમી હિંસા મામલે નોટિસ ફટકારી છે અને કેસ કેમ નહીં ચાલે તે અંગે ખુલાસો પણ માંગ્યો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2007માં તાત્કાલિન ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથે જાહેર મંચ પર ભડકાઉ ભાષણ આપ્યું હતું. જે બાદ વર્ષ 2008માં મોહમ્મદ અસદ હયાત અને પરવેજે સીબીઆઈ સમક્ષ આ કેસ મામલે તટસ્થ તપાસની માગ ઉઠાવતા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
Supreme Court issues notice to Uttar Pradesh government in connection with a speech given by Yogi Adityanath in 2007 asked govt to reply as to why he should not be prosecuted for allegedly giving a hate speech in 2007? pic.twitter.com/z2puUmxwbQ
જે સંદર્ભે યોગી આદિત્યનાથ સહિત 11 લોકોની ધરપકડ પણ થઈ હતી જો કે ચાલુ વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ આ કેસ મામલે સુનાવણી હાથ ધરાતા અલ્હાબાદ કોર્ટે આ કેસ મામલે ઢીલી નીતી અપનાવતા સુપ્રીમ કોર્ટે આ કેસ ફરી ચલાવવા અને ન્યાયીક ચૂકાદો આપવા માટે અપીલ કરી છે.