સુપ્રીમ કોર્ટે મુસ્લિમ મહિલાઓને નમાઝ પઢવા માટે મસ્જિદોમાં પ્રવેશ કરવાની અનુમતિ આપવાની માંગ કરનારી અરજી પર કેન્દ્રને નોટિસ રજૂ કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, રાષ્ટ્રીય મહિલા આયોગ, સેન્ટ્રલ વક્ફ કાઉન્સીલ અને ઓલ ઇન્ડીયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને નોટિસ રજૂ કરી છે. કોર્ટે કહ્યું કે, સબરીમાલા મંદિરનાં મામલામાં આપણાં નિર્ણયને કારણે જ અમે આ મામલા પર સુનાવણી કરીશું.
તમને જણાવી દઇએ કે મુસ્લિમ દંપતીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાની મંજૂરી આપવાની પરવાનગી માંગી છે. વકીલ આશતોષ દુબે તરફથી દાખલ કરેલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ મહિલાઓ પર મસ્જિદમાં જઇને નમાઝ પઢવા પર પ્રતિબંધ પર ગૈરકાનૂની અને અસંવૈધાનિક છે. આ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે.
Supreme Court issues notice to the Centre, National Commission for Women, Central Waqf Council and All India Muslim Personal Law Board on a plea seeking direction that Muslim women be allowed to enter mosques and offer prayers. pic.twitter.com/8sVfy1EtMU
અરજીમાં એમ પણ કહેવાયું છે કે કુરાન અને હદીસમાં લિંગનાં આધાર પર કોઇ જ ભેદભાવ નથી. આ પ્રકારની પરંપરા મહિલાઓની ગરીમા વિરૂદ્ધ છે. અરજીમાં એમ કહેવામાં આવ્યું છે કે પુરૂષોની જેમ મહિલાઓને પણ ઇબાદત કરવાનો સંવૈધાનિક અધિકાર છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં જમાત-એ-ઇસ્લામી અને શિયા સમુદાયનાં ફિરકોમાં જ મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાની પરવાનગી છે જ્યારે સુન્ની સમુદાયનાં અનેક ફિરકોમાં આની મનાઇ છે. એટલે સુધી કે જ્યાં મુસ્લિમ મહિલાઓને નમાઝ માટે મસ્જિદમાં જવાની પરવાનગી છે ત્યાં તેમનાં માટે અલગ-અલગ જગ્યા છે.