CAA પ્રદર્શનકારીઓ પાસેથી યોગી સરકારે નુકશાનની જે રકમ વસૂલી હતી. તે રકમ સુપ્રીમ કોર્ટ દ્વારા પરત કરવા માટે યોગી સરકારને આદેશ આપવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે યોગી સરકારને આપ્યો મોટો આદેશ
CAA પ્રદર્શનકારીઓ પાસેથી સરકારે નુકશાનની રકમ વસૂલી હતી
જે પણ રકમ વસૂલી તે પરતવ કરવા આપ્યો આદેશ
CAA સામે જે લોકોએ યુપીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમા જે પણ નુકશાન થયું હતું તે લોકો પાસેથી યુપી સરકારે નુકશાનની રકમ વસૂલી હતી આ મામલે સુપ્રીમકોર્ટ દ્વારા તે વસૂલેલી રકમને પરત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. 2019માં સીએએ સામે જેણે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
UP govt tells SC that all show-cause notices have been withdrawn against anti-CAA protesters
Apex court was hearing a plea seeking quashing of the recovery notices issued by UP admin to recover damage caused to public properties in connection with protests against CAA pic.twitter.com/6qOJcDAjF7
સુપ્રીમકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે જેની પાસેથી પણ રકમ વસૂલવામાં આવી હતી. તે દરેકને સરકાર દ્વારા તે રકમ પરત આપવામાં આવશે. કોર્ટે વિરોધકર્તાઓ સામે કાર્યવાહી કરવા સરકારને સ્વતંત્રતા આપી છે. પરતું સાર્વજનિક સંપત્તિને જો નુકશાન થાય તો તેને યુપી સરકાર દ્વારા તેને ભરપાઈ કરવાનો કાયદો 31 ઓગસ્ટ 2020ના રોજ લાવવામાં આવ્યો છે.
કાર્યવાહી કોર્ટ દ્વારા રદ કરવામાં આવી
યુપી સરકારે ડિેસેમ્બર 2019માં કથિત સીએએ વિરોધકર્તાઓને નુકશાન ભરપાઈ કરવા માટે નોટિસ આપી હતી. આ મામલે સુપ્રીમકોર્ટ દ્વારા 11 ફેબ્રુઆરીએ સરકારની ઝાટકણી કાઢવામાં આવી. સાથેજ તેમને આ કાર્યવાહી પરત લેવા માટે પણ ચેતવણી આપી હતી. કારણકે સરકારની આ કાર્યવાહી કાયદાની વિરુદ્ધમાં છે જેથી કોર્ટ દ્વારા તેને રદ કરી દેવામાં આવી છે.