લખીમપુર ખીરી હિંસા કેસ મામલે આજે ફરી સુપ્રીમમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમે ઉત્તરપ્રદેશ સરકારને ઘટનાંનાં સાક્ષીઓને સુરક્ષા આપવા માટે જણાવ્યું હતું.
લખીમપુર ખીરી હિંસા કેસ મામલે આજે ફરી સુપ્રીમમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમે ઉત્તરપ્રદેશ સરકારને ઘટનાંનાં સાક્ષીઓને સુરક્ષા આપવા માટે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને લખીમપુર હિંસા કેસ મામલે પત્રકાર રમણ કશ્યપ અને શ્યામ સુંદરની હત્યાની તપાસ કરવા અને જવાબ આપવા માટે પણ કહ્યું હતું. હવે આ મામલે આગળ સુનાવણી આઠ નવેમ્બરે થશે.
સુપ્રીમે કહ્યું હતું કે આ દરમિયાન ઉતરપ્રદેશ સરકાર સાક્ષીઓને પુરતી સુરક્ષા પૂરી પાડે.
રેલીમાં તો સેંકડો લોકો હતા.. સુનાવણી દરમિયાન સુપ્રીમે કહ્યું હતું કે રેલીમાં તો સેંકડો લોકો હાજર હતા તો સાક્ષી તરીકે માત્ર 23 લોકો જ કેમ હાજર રહ્યા? સુપ્રીમે કહ્યું હતું કે 68 માંથી 30 લોકોના નિવેદન નોંધવાંમાં આવ્યા હતા તેમાંથી 23 લોકોએ જ કહ્યું હતું કે તેઓ ઘટના સ્થળે હાજર હતા.
એડવોકેટ હરીશ સાલ્વેએ કહ્યું...
ઉત્તરપ્રદેશ સરકાર વતી એડવોકેટ અને પૂર્વ સોલિસિટર જનરલ ઓફ ઈન્ડિયા હરીશ સાલ્વેએ કહ્યું હતું કે અમે એડ પણ જાહેર કરી હતી અને વિડીયો પુરાવા પણ મળ્યા હતા. તપાસ ચાલી રહી છેઃ અને યુપી સરકાર બંધ કવરમાં સાક્ષીઓનાં નિવેદન જમા કરી રહી છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ત્યાર બાદ કહ્યું હતું કે જો તમારી પાસે 23 સાક્ષીઓ હોય તો દરેક પાસું અને સંભાવના જોઈને તપાસ થઈ શકે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ઘટના સ્થળે 4000-5000 ની ભીડ હતી. જે ત્યાંનાં સ્થાનિકો છે અને ઘટના બાદ પણ મોટા ભાગના લોકો આંદોલન કરતાં રહ્યા હતા. તો પછી એ લોકોને ઓળખવામાં કે જુબાની લેવામાં તકલીફ કેમ ઊભી થઈ રહી છે?
સાક્ષીની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ
સુપ્રીમ કોર્ટનાં CJIએ વધુમાં કહ્યું કે, ત્યાં એકઠી થયેલી ભીડમાં ઘણા લોકો સાચી માહિતી આપતાં શરમાશે. મજબૂત સાક્ષીઓની ઓળખ જરૂરી થવી છે. શું કોઈ સાક્ષી ઘાયલ છે? ઝડપથી વિડિયો ટેસ્ટ કરાવો. અન્યથા અમારે લેબને સૂચના આપવી પડશે. આમાં, સાક્ષીઓની સલામતી સૌથી મહત્વની છે. અમે સાક્ષીઓના રક્ષણની વાત ભરપૂર્વક કરીએ છીએ. મેજિસ્ટ્રેટ સમક્ષ તમામ સાક્ષીઓના નિવેદન નોંધવા જોઈએ.