ચૂંટણી સમયે રાજકીય પક્ષો દ્વારા મફત વસ્તુઓ આપવાની જાહેરાતને લઈ સુપ્રિમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી . જેમા કોર્ટ દ્વારા આ મામલે કેન્દ્ર સરકારને અને ચૂંટણી પંચને નોટીસ આપવામાં આવી છે.
ચૂંટણી સમયે મફત વસ્તુઓ આપવાના વાયદા હવે બંધ થશે
સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર અને ચૂંટણી પંચને આપી નોટીસ
મફત ચીજવસ્તુઓના વાયદા આપતા અસમાનતા ફેલાય છે: SC
ચૂંટણી સમયે રાજકીય પક્ષો દ્વારા જનતાને વાયદાઓ આપવામાં આવે છે. જેમા હવે તો પાર્ટી દ્વારા મફત ચીજ વસ્તુઓ આપવાના વાયદા આપવામાં આવતા હોય છે. જેથી આ મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોચી ગયો છે. સુપ્રીમ કોર્ટને મળેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે કેન્દ્ર સરકાર અને ભારતના ચૂંટણી પંચને નોટિસ મોકલી છે.
ભાજપ નેતાએ માગણી કરી હતી
જે પણ પાર્ટીઓ મફત વસ્તુઓ આપવાનો વાયદો કરે છે. તે પાર્ટીઓના ચૂંટણી ચિન્હ જપ્ત કરવાની માગ કરવામાં આવી હતી. ભાજપ નેતા અશ્વિની કુમાર ઉપાધ્યાયે આ મામલે કાયદો બનાવવા માટે કેન્દ્ર સરકાર પાસે માગણી પણ કરી હતી.
સુપ્રીમ કોર્ટે આ ગંભીર મુદ્દો ગણાવ્યો
સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે આજે કહેવામાં આવ્યું કે જે અરજી તેમની પાસે આવી છે તેમા ગંભીર મુદ્દો ઉઠાવામાં આવ્યો છે. જોકે કોર્ટ દ્વારા એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે અરજદારે અમુકજ પાર્ટીઓના નામનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં સીજેઆઈ દ્વારા કહેવામાં આવ્યું કે આ એક ગંભીર મુદ્દો છે. સાથેજ કોર્ટે એવું પણ કહ્યું કે મફત વિતરણનું બજેટ નિયમિત બજેટ કરતા અલગ હોય છે.
મફત વસ્તુઓને લઈ અસમાનતા ફેયા છે: SC
સીજેઆઈ એન વી રમને આ મામલે એવું પણ કહ્યું કે ભલે આ ભ્રષ્ટ કામ નથી પરંતુ આ કામને કારણે અસામાનતા ફેલાતી હોય છે. વધુમાં તેમણે કહ્યું કે અરજદાર દ્વારા બે નામ શામેલ કરવામાં આવ્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જે જાહેરાતો થઈ તેને લઈને આ અરજી કરવામાં આવી છે. જેમા આમ આદમી પાર્ટી અને શિરોમણી અકાલી દલ કોંગ્રેસનું નામ શામેલ છે.
મફત વસ્તુઓના વાયદા ચિંતાજનક સ્તર પર
અરજદાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મફત વસ્તુઓના વાયદાઓ ચિંતાજનક સ્તર પર પહોચી ગયા છે. સાથેજ એ વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે સાર્વજનીક ધનનો ઉપયોગ મતદાતાઓને લાલચ આપવા કરવામાં આવે છે. વધુમાં અરજદારના વકિલે એવું પણ કહ્યું કે અમુક રાજ્યો એવા છે જ્યા પ્રતિ વ્યક્તિ 3 લાખના દેવામાં છે તેમ છતા મફત ચીજ વસ્તુઓ આપવાની જાહેરાતો કરવામાં આવતી હોય છે.
4 સપ્તાહ પછી ફરી સુનાવણી હાથ ધરાશે
ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્વારા આ મામલે હાલ કેન્દ્ર સરકાર અને ભારતીય ચૂંટણી પંચને નોટિસ આપવામાં આવી છે. હવે આ મુદ્દે ચાર સપ્તાહ પછી બીજી સુનાવણીને હાથ ધરવામાં આવશે. જેમા મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.