2019માં સરકારે આર્થિક રીતે નબળા જનરલ કેટેગરીના લોકો માટે 10 ટકા અનામતની સિસ્ટમ બનાવી હતી, જેને લઈને સુપ્રિમ કોર્ટે સુનાવણી પૂરી કરી લીધી છે.
2019માં સરકારે આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકો માટે 10 ટકા અનામતની સિસ્ટમ બનાવી હતી
આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો
હવે મામલા પર સુનાવણી પૂરી થઇ ચુકી છે
સરકારે આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકો માટે 10 ટકા અનામતની સિસ્ટમ બનાવી હતી
સામાન્ય વર્ગના ગરીબોને અનામત સામે દાખલ કરવામાં આવેલ અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂરી કરી લીધી છે. ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની અધ્યક્ષતાવાળી 5 જજોની પીઠે 7 દિવસો સુધી બધા જ પક્ષોને વિસ્તારથી સાંભળ્યા.
જાન્યુઆરી 2019 માં, કેન્દ્ર સરકારે સંસદમાં 103મો બંધારણીય સંશોધન ઠરાવ પસાર કરીને આર્થિક રીતે નબળા સામાન્ય વર્ગના લોકો માટે નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામતની સિસ્ટમ બનાવી હતી, જેને પડકાર આપનારી અરજીઓ પર બંધારણીય બેંચે 13 ડિસેમ્બરથી મામલા પર વિસ્તૃત સુનાવણી શરૂ કરી. ચીફ જસ્ટિસ લલીત ઉપરાંત આ બંધારણીય બેંચના બાકી ચાર સદસ્ય છે - જસ્ટિસ દિનેશ મહેશ્વરી, એસ રવીન્દ્ર ભાટ, બેલા એમ ત્રિવેદી અને જમશેદ બી. પારડીવાલા.
અપીલકર્તાની દલીલ
5 ઓગસ્ટ 2019નાં રોજ સુપ્રીમ કોર્ટે જનરલ કેટેગરીનાં ગરીબોને 10 ટકા અનામત સામે ફરિયાદોને બંધારણીય બેંચને સોંપવામાં આવી હતી. આ મામલામાં એનજીઓ જનહિત અભિયાન સહિત 30 થી વધારે અપીલકર્તાઓ કોર્ટ તરફ વળ્યા.
આ ફરિયાદોમાં બંધારણની કલમ 15 અને 16માં સંશોધન કરવા પર પડકારો આપવામાં આવ્યા છે. અપીલકર્તા પક્ષે દલીલ કરી કે અનામતનો ઉદ્દેશ્ય સદીઓ સુધી સામાજિક ભેદભાવ સહન કરનાર વર્ગનો ઉદ્ધાર કરવા માટેનો હતો. એટલે આર્થિક આધાર પર અનામત બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. જો કોઈ વર્ગ આર્થિક રૂપથી નબળો છે, તો તેની સહાયતા બીજા પ્રકારે કરી શકાય છે.
ક્યારે અનામત આપવાની હતી સરકાર?
અપીલકર્તા પક્ષનાં વકીલોએ એમ પણ કહ્યું કે સરકારે જો ગરીબીનાં આધાર પર જ અનામત આપવું હતું, તો આ 10 ટકા અનામતમાં એસસી, એસટી અને ઓબીસી માટે વ્યવસ્થા બનાવવી જોઈતી હતી. વકીલોએ એમ પણ તર્ક રાખ્યો કે સરકારે જરૂરી આંકડાઓને ધ્યાનમાં રાખ્યા વિના કાયદો બનાવી દીધો. સુપ્રીમ કોર્ટે અનામતને ૫૦ ટકા સુધી સીમિત રાખવાનો નિર્ણય કર્યો હતો અને આ પ્રાવધાનનાં માધ્યમથી તેનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
શું છે સરકારની દલીલ?
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એટોર્ની જનરલ વેણુગોપાલે આ અનામતને લઈને બચાવ કરતા કહ્યું કે:
કુલ અનામતની સીમા ૫૦ ટકા રાખવી એ કોઈ બંધારણીય જોગવાઈ નથી, માત્ર સુપ્રિમ કોર્ટનો નિર્ણય છે.
તામીલનાડુમાં 68 ટકા અનામત છે, જેને હાઈકોર્ટે મંજૂરી આપી છે. સુપ્રિમ કોર્ટે કોઈ રોક નથી લગાવી.
અનામતનો કાયદો બનાવતા પહેલા કલમ 15 અને 16માં જરૂરી સંશોધનો કરવામાં આવ્યા હતા.
આર્થિક રૂપથી નબળા વર્ગને સમાનતાનો અધિકાર અપાવવા માટે આ વ્યવસ્થા જરૂરી છે.
જલ્દી આવી શકે છે નિર્ણય
ચીફ જસ્ટીસ લલિત ઉદયનો કાર્યકાળ 8 નવેમ્બર સુધી જ છે. નિયમો અનુસાર, કોઈ મામલાની સુનાવણી પૂરી કરનાર જજ રીટાયર થતા પહેલા નિર્ણય આપીને જાય છે. આવામાં એ તો નક્કી છે કે 8 નવેમ્બર સુધીમાં EWS અનામતની માન્યતા પર નિર્ણય આવી જશે.