સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે બિહાર સરકારે મંગળવારે કેન્દ્રને સીબીઆઈ તપાસ માટે ભલામણ મોકલી હતી. હવે કેન્દ્રએ બિહાર સરકારની આ ભલામણને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારના વકીલે કહ્યું કે સુશાંત કેસની તપાસ તેમણે સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધી છે. હવે CBI આ કેસની તપાસ કરશે. આપને જણાવી દઈએ કે, ઘણા સમયથી સીબીઆઈ તરફથી આ કેસની તપાસ સોશિયલ મીડિયા પર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસ મામલો
CBI કરશે સુશાંતસિંહ કેસની તપાસ
કેન્દ્રએ બિહાર સરકારની ભલામણ સ્વીકારી
કેન્દ્ર સરકારના વકીલ એસ.જી. તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, સીબીઆઈ સાથે કેસની તપાસ કરવાની બિહાર સરકારની ભલામણ સ્વીકારવામાં આવી છે. રિયા વતી એડવોકેટ શ્યામ દિવાનએ કહ્યું છે કે એસજી વતી જે કહ્યું હતું તે અહીં કેસ નથી, આવા કિસ્સામાં કોર્ટે રિયાની અરજી પર ધ્યાન આપવું જોઈએ. શ્યામ દિવાન (રિયાના વકીલ) એ તમામ કેસો પર સ્ટેની માંગ કરી હતી. શ્યામ દિવાને કહ્યું કે એફઆઈઆર ન્યાયશાસ્ત્ર પ્રમાણે નથી. આવા કેસમાં કોર્ટે આખા કેસ પર રોક લગાવવી જોઇએ.
Solicitor General Tushar Mehta states before Supreme Court that Centre has accepted Bihar govt's request recommending CBI enquiry into #SushantSinghRajput death case.
SC is hearing Rhea Chakraborty's petition seeking direction for transfer of investigation from Patna to Mumbai. pic.twitter.com/YTlUPvBOQn
બિહાર પોલીસ મુંબઇ પહોંચી અને પૂછપરછ શરૂ કરી હતી. જ્યારે આ તેમના અધિકારક્ષેત્રમાં આવતું નથી, તો મુંબઈ પોલીસ પહેલેથી જ પૂર્ણ કાર્યવાહી કરી રહી છે. રિયાના વકીલ શ્યામ દિવાને કહ્યું કે બિહારમાં નોંધાયેલી એફઆઈઆર મુંબઇમાં ટ્રાન્સફર કરવામાં આવે. શ્યામ દિવાને દલીલ કરી હતી કે મુંબઈ પોલીસે સુશાંતના મોત મામલે અત્યાર સુધીમાં 59 લોકોની જુબાની નોંધી છે.
ન્યાયાધીશ ઋષિકેશ રાયએ કહ્યું કે સુશાંત ખૂબ પ્રતિભાશાળી અને ઉભરતા કલાકાર હતા અને તેમનું રહસ્યમય મૃત્યુ આઘાતજનક છે. ન્યાયાધીશ ઋષિકેશ રાયએ કહ્યું કે આ તપાસનો વિષય છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના દિકરા આદિત્ય ઠાકરેનું નામ પણ ઉછળ્યું
ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને પગલે રાજકારણ ગરમાયું છે.જો કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દીકરા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરેનું નામ ઉછળતા આજે તેમણે નિવેદન આપ્યું હતું કે તેમના પરિવાર પર કીચડ ઉછાડવાનું કામ થઇ રહ્યું છે.
એક પત્રમાં તેણે સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે કોઇ જ સંબંધ નથી. આદિત્ય ઠાકરેએ વધુમાં કહ્યું કે, સુશાંત કેસમાં રાજનીતિ થઇ રહી છે. તેમણે એમ પણ જણાવ્યું કે, બોલીવૂડ મુંબઇનો એક મહત્વનો હિસ્સો છે અને ઘણા બધા લોકો તેના પણ નિર્ભર છે. જો કે, તેમણે એમપણ સ્વીકાર્યું હતું કે, બોલીવૂડના કેટલાય અભિનેતાઓ સાથે સારા સંબંધો છે અને તે કોઇ ગુનો નથી.
આદિત્ય ઠાકરેનું નિવેદન
પોતાના નિવેદનમાં આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે 'બાલાસાહેબ ઠાકરેના પૌત્ર તરીકે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મહારાષ્ટ્ર, શિવસેના અને ઠાકરે પરિવારનું ગૌરવ ઉતારનારા એવા કોઈ પણ મામલામાં હું સામેલ થઈશ નહીં.