રાહુલ ગાંધીનાં ચોકીદાર ચોર હૈનાં નિવેદન પર પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ. જેમાં રાહુલ ગાંધી પર સુનાવણી કરતા કોર્ટે આ ચુકાદાને સુરક્ષિત કરી લીધો છે. કોર્ટે રાહુલ ગાંધીને તેમનાં નિવેદનને લઇને ક્લીન ચિટ આપવા અંગે સ્પષ્ટપણે ઇન્કાર કર્યો.
સુપ્રીમ કોર્ટમાં રાફેલ લડાકુ વિમાન મામલામાં ડિસેમ્બર, 2018નાં ચુકાદા પર પુનર્વિચારની અરજીઓ પર સુનાવણી પૂર્ણ કરી લીધી છે. ત્યારે રાહુલ ગાંધીનાં ચોકીદાર ચોર હૈનાં નિવેદન પર પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ. જેમાં રાહુલ ગાંધી પર સુનાવણી કરતા કોર્ટે આ ચુકાદાને સુરક્ષિત કરી લીધો છે. કોર્ટે રાહુલ ગાંધીને તેમનાં નિવેદનને લઇને ક્લીન ચિટ આપવા અંગે સ્પષ્ટપણે ઇન્કાર કરી દીધો છે.
રાફેલ લડાકુ વિમાન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી તો પૂર્ણ થઇ ગઇ છે પરંતુ કોર્ટનો નિર્ણય બાદમાં આવશે. સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને એક-એક કલાક પોતાની વાતને ધ્યાનમાં રાખવાનો સમય આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, ચાર વાગ્યા સુધી સુનાવણી પૂર્ણ કરી લેવા ઇચ્છે છે.
એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, અરજીકર્તા ચોરીનાં દસ્તાવેજો માટે પસંદ કરાયેલાં ભાગોને જ રખાય છે અને આની પાછળ કોર્ટને ગુમરાહ કરવાની અપેક્ષા છે. તેઓને પૂછાવું જોઇએ કે, તેમને કાગળ ક્યાંથી મળે. જે કરાર કરવામાં આવ્યો, તે દેશ માટે ખૂબ જરૂરી હતો. આપણાં સૌની સુરક્ષા માટે આને કરવામાં આવેલ છે.
શું છે સમગ્ર મામલો?
સુપ્રીમ કોર્ટે રાફેલ પર સરકારનાં પક્ષમાં ચુકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાફેલ મામલા પર દાખલ કરેલ અરજીઓ પર સુનાવણી કરતા આ કરારની તપાસનાં આદેશ આપવા અંગે ઇન્કાર કરી દીધો હતો. જ્યાર બાદ યશવંત સિન્હા, અરૂણ ચોરી અને પ્રશાંત ભૂષણે આ ચુકાદા પર પુનર્વિચારની અરજી દાખલ કરી. પુનર્વિચાર અરજીઓમાં અરજીકર્તાઓએ દલીલ આપી છે કે રાફેલ મામલા પર સરકારે સુપ્રીમ કોર્ટને ખોટી જાણકારી આપીને ગુમરાહ કર્યા હતાં જે કારણોસર ચુકાદો સરકારનાં પક્ષમાં ચાલ્યો ગયો.